જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી

પોતાના ભાષણમાં અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. અમિત શાહે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેમણે જો કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આવીને દલીલ કરો. નહીં તો ઈટાલિયન ભાષામાં પણ તેનો હું અનુવાદ કરાવી આપું. 

જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી

જોધપુર:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અને નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન (NRC) ને લઈને ભાજપ દેશભરમાં જનજાગરણ સભાઓનું આયોજન કરી રહી છે. આ જ સંદર્ભે આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જોધપુર પહોંચ્યાં અને ત્યાં અભિનંદન સમારોહને સંબોધન કર્યું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ નાગરિકતા છીનવવાનો કાયદો નહીં પરંતુ આપવાનો કાયદો છે. શાહે પાકિસ્તાનના વિસ્થાપિતોને આશ્વાસન આપીને કહ્યું કે વિપક્ષ ગમે તેટલી ભ્રમણા ફેલાવે પણ ભાજપ CAA મામલે એક ઈંચ પણ પીછેહટ કરશે નહીં. પાકિસ્તાનમાં લઘુમતીઓ 20 ટકાથી ઘટીને 3 ટકા થઈ ગયા છે. 

અમિત શાહે કહ્યું કે ફક્ત મોદી સરકારે જ શરણાર્થીઓની ચિંતા કરી. હવે શરણાર્થીઓના સારા દિવસ આવ્યાં છે. મહાત્મા ગાંધીજી અને નહેરુ પણ તેમને નાગરિકતા આપવાના પક્ષમાં હતાં. પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે સવાલ કર્યો કે શું મહાત્મા ગાંધી સાંપ્રદાયિક હતાં?નાગરિકતા કાયદાનો સતત વિરોધ કરતી કોંગ્રેસને આડે હાથ લેતા શાહે કહ્યું કે કોંગ્રેસને વોટબેંકનું રાજકારણ રમવાની આદત પડી ગઈ છે. આથી કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દુષ્પ્રચાર કરી રહી છે. આથી તેમને રોકવા માટે અમે જનતા વચ્ચે જવાનો નિર્ણય લીધો છે. 

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, દલીલ કરો નહીં તો ઈટાલિયન ભાષામાં અનુવાદ કરાવી આપું
પોતાના ભાષણમાં અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. અમિત શાહે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેમણે જો કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આવીને દલીલ કરો. નહીં તો ઈટાલિયન ભાષામાં પણ તેનો હું અનુવાદ કરાવી આપું. 

— BJP (@BJP4India) January 2, 2020

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ મમતાદીદી, એસપી, બીએસપી, કેજરીવાલ એન્ડ કંપની બધા આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. હું તે તમામને પડકારું છું કે તેઓ સાબિત કરે કે તેનાથી કોઈ અલ્પસંખ્યકને નુકસાન થશે. બધી પાર્ટીઓ એક થઈ જશે તો પણ ભાજપ CAA પર એક ઈંચ પણ પીછેહટ નહીં કરે. જેટલો પણ ભ્રમ ફેલાવવો હોય તેટલો ફેલાવી લો. 

સમર્થન માટે નંબર જાહેર કર્યો
જનસભામાં તેમણે લોકોને એક નંબર પણ આપ્યો અને કહ્યું કે આ નંબર પર મિસકોલ આપીને CAA માટે તમારું સમર્થન નોંધાવો. અમિત શાહે જે નંબર આપ્યો તે છે 88662-88662. તેમણે કહ્યું કે પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી જે પણ હિન્દુઓ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને પારસી લઘુમતીઓ આવ્યાં તેમની કોઈએ ચિંતા કરી નહીં. પરંતુ મોદી સરકારે આ વચન નિભાવ્યું.

મમતા બેનરજીને લીધા આડે હાથ
મમતા બેનરજીના સતત વિરોધ પર તેમણે નિશાન સાધતા કહ્યું કે મમતા દીદી કહે છે કે તમારી લાઈનો લાગી જશે, તમારી પાસે પ્રુફ માંગવામાં આવશે. હું બંગાળમાં વસેલા તમામ શરણાર્થીઓને કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન સહન કરવું પડશે નહીં. તમને સન્માન સાથે નાગરિકતા આપવામાં આવશે. દીદીથી ડરવાની કોઈ જરૂર નથી. હું મમતા દીદીને કહેવા માંગુ છું કે બંગાળી ભાષી શરણાર્થી હિન્દુ, દલીતોએ તમારું શું બગાડ્યું છે. શું કામ તેમની નાગરિકતાનો વિરોધ કરી રહ્યાં છો? 

આ VIDEO પણ જુઓ...

સન્માનથી મળશે નાગરિકતા
શાહે કહ્યું કે પાડોશી દેશોથી આવેલા શરણાર્થીઓમાં 70 ટકાથી વધુ દલિત છે. નાગરિકતા કાયદાનો વિરોધ કરનારા લોકો તેના ઉપર પણ બોલે. વિસ્થાપિતોને ભારતમાં સન્માનથી નાગરિકતા મળશે. આવા લોકોને અહીં કોઈ પરેશાની કરાશે નહીં. તેમણે કહ્યું કે 5 જાન્યુઆરીથી ભાજપ 3 કરોડ લોકોના ઘરે જશે, સભાઓ કરશે અને લોકોને નાગરિકતા કાયદા અંગે જણાવશે. 

શાહે મમતા બેનરજી પર નિશાન સાધતા કહ્યું કે દીદી શું બાંગ્લા ભાષીઓનો વિરોધ કરે છે? આખરે બાંગ્લાદેશથી ઉત્પીડન થયેલા આપણા લોકો ક્યાં જશે? અમે આવા લોકોને ફરીથી ઉત્પીડન માટે નહીં મોકલીએ. CAA પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને પારસી જે ધર્મના આધારે ઉત્પીડન પામીને અહીં આવ્યાં છે તેમને નાગરિકતા આપવાનો કાયદો છે. 

વિપક્ષના લોકો દેશને ગુમરાહ કરી રહ્યાં છે. તેનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જશે પરંતુ હું તમને બધાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કાયદો નાગરિકતા આપવા માટે છે કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news