Arunanchal News: કોંગ્રેસના નેતાનો દાવો, 5 ભારતીયોનું અપહરણ કરીને લઈ ગઈ ચીની સેના


અરૂણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં સીની સેના પીપુલ્સ લિબરેશ આર્મીના 5 ભારતીયોનું અપહરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. 
 

Arunanchal News: કોંગ્રેસના નેતાનો દાવો, 5 ભારતીયોનું અપહરણ કરીને લઈ ગઈ ચીની સેના

ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે દાવો કર્યો કે ચીની સેનાએ સરહદ પરથી પાંચ ભારતીયોનું અપહરણ કરી લીધું છે. તેમણે જણાવ્યું કે, પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું કથિત રીતે ચીની સૈનિકોએ અપહરણ કર્યું છે. થોડા મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના થઈ હતી. ચીનની સેનાએ જવાબ આપવો જોઈએ. 

Few months earlier,a similar incident happened. A befitting reply must be given to #PLA and #CCPChina. @PMOIndia https://t.co/8gRdGsQfId pic.twitter.com/KbDMJ3bUi2

— Ninong Ering (@ninong_erring) September 4, 2020

આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિનોન્ગ એરિંગે પોતાના ટ્વીટની સાથે બે સ્ક્રીનશોટ પણ અપેચ કર્યા છે. તેમાં તે પાંચ લોકોના નામ છેસ જેનું અપહરણ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નિનોન્ગ એરિંગે કહ્યુ કે, સરકારે ચીન પર કાર્યવાહી કરવી જોઈએ અને ચીની વિસ્તારવાદની નીતિઓની તપાસ કરવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news