બિહાર વિધાનસભા ચૂંટણી: ત્રીજા તબક્કાના મતદાનનો સમય પુરો, આટલા ટકા થયું મતદાન

બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાનનો સમય પુરો થઇ ગયો છે. અંતિમ તબક્કાના મતદાન દરમિયાન જ્યાં ઘણા જિલ્લાઓમાં મતદારોએ મતાધિકારનો બહિષ્કાર કર્યો હતો તો બીજી તરફ બે મુજફ્ફરપુર અને સુપૌલમાં બે મતદાન કર્મીઓના મોત થયા છે.

બિહાર વિધાનસભા ચૂંટણી: ત્રીજા તબક્કાના મતદાનનો સમય પુરો, આટલા ટકા થયું મતદાન

બિહાર: બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાનનો સમય પુરો થઇ ગયો છે. અંતિમ તબક્કાના મતદાન દરમિયાન જ્યાં ઘણા જિલ્લાઓમાં મતદારોએ મતાધિકારનો બહિષ્કાર કર્યો હતો તો બીજી તરફ બે મુજફ્ફરપુર અને સુપૌલમાં બે મતદાન કર્મીઓના મોત થયા છે. પૂર્ણિયામાં મતદાન કેન્દ્ર નંબર 282 પર પેરામિલિટ્રી ફોર્સનું હવામાં ફાયરિંગ અને બે ત્રણ જગ્યાએ હંગામાને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું. ત્રીજા તબક્કામાં મતદાન બહિષ્કાર છતાં મતદારોનો ઉત્સાહ ચરમ પર હતો. અરસિયા, સુપૌલ, મોતિહારી સહિત જીલ્લામાં ઇવીએમ ખરાબ થતાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું પરંતુ બપોર થતાં મતદાનમાં તેજી જોવા મળી હતી. 

મતદાન પુરૂ થતાં જ 15 જિલ્લાની 78 સીટો માટે વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી અને બિહાર સરકારના 11 મંત્રીઓ સહિત 1204 ઉમેદવારોની કિસ્મત ઇવીએમમાં કેદ થઇ ગઇ છે. હવે તેનો ખુલાસો 10 નવેમ્બરના રોજ મતગણતરી થશે. 

બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન દરમિયના પાંચ વાગ્યા સુધી 50.96 ટકા મતદાન થયું છે. આ પહેલાં ચાર વાગ્યા સુધી 46 ટકાથી વધુ તો બીજી તરફ ત્રણ વાગ્યા સુધી 45.85% સુધી મતદાન થયું છે. આ પહેલાં બપોરે 1 વાગ્યા સુધી 22.74 ટકા મતદાન થયું. બિહારમાં 15 જિલ્લાની 78 સીટો માટે ત્રીજી અને અંતિમ તબક્કાનું મતદાન થયું છે. આ પહેલાં આજે સવારે 11 વાગ્યા સુધી 18.12% મતદાન થયું. સવારે 10 વાગ્યા સુધી 8.13% મતદાન અને સવારે 9 વાગ્યા સુધી 7.69 ટકા મતદાન થયું. સવારે આઠ વાગ્યા સુધી 15 જિલ્લાના 78 સીટો પર 3.9 ટકા મતદાન થયું હતું. 

પૂર્ણિયામાં હવામાં ફાયરિંગની ઘટના
બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા બિટ્ટૂ સિંહના ભાઈ બેની સિંહની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્ણિયાના ધમદાહા વિધાનસભા અંતર્ગત સરસીમાં અસામાજીક તત્વોએ ગોળી મારી દીધી. ગુનેગારોએ બેની સિંહ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. મતદાનના દિવસે થયેલી આ ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે. 

ઉમેદવારની ગોળી મારી હત્યા
ગત મહિને બિહારના શિવહરમાં જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર અને તેના એક સમર્થકની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. તો ઉમેદવારના સમર્થકોએ એક હત્યારાનાને દબોચી લીધો, જેની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

78 સીટો પર મેદાનમાં છે 1204 ઉમેદવાર
ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 સીટો પર મતદાન થશે, જેમાં અરસિયા,  કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લા સામેલ છે. આ તબક્કામાં 1204 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે અને 2 કરોડ 35 લાખ 54 હજાર 71 મતદારો તેમના ભવિષ્યનો નિર્ણય કરશે.

વાલ્મિકીનગર લોકસભા સીટ પર પેટાચૂંટણી
વિધાનસભા ચૂંટણી સાથે વાલ્મિકીનગર લોકસભા સીટ (Valmiki Nagar Lok Sabha Seat)પર પેટાચૂંટણી માટે પણ મતદાન કરવામાં આવશે. આ સીટ આ વર્ષે જેડીયૂ (JDU)સાંસદ વૈધનાથ મહતોના નિધન બાદ ખાલી થઇ હતી. આજે થનાર મતદાનમાં પશ્વિમી ચંપારણના વાલ્મિકી નગર અને રામ નગર ઉપરાંત સહરસાના સિમરી બખ્તિયારપુર અને મહિષી વિધાનસભા સીટ પર સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થશે. 

પીએમને લઇને આરજેડી નેતાનું વિવાદિત નિવેદન
બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આરજેડી (RJD)નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી (Abdul Bari Siddiqui)એ પ્રધાનમંત્રીને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી તેમની ગરિમા જાળવી શક્યા નહીં. સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા પ્રધાનમંત્રી પર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news