કર્ણાટકમાં ભાજપ આ રીતે મારી શકે છે બાજી, જાણો બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શવાનું ગણિત!

કર્ણાટકમાં જબરદસ્ત રાજકીય સસ્પેન્સ વચ્ચે 104 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવા માટે દાવો કર્યો છે.

કર્ણાટકમાં ભાજપ આ રીતે મારી શકે છે બાજી, જાણો બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શવાનું ગણિત!

બેંગ્લુરુ: કર્ણાટકમાં જબરદસ્ત રાજકીય સસ્પેન્સ વચ્ચે 104 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવા માટે દાવો કર્યો છે. સૂત્રોના હવાલેથી એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવવા માટે આમંત્રણ મળવાની સ્થિતિમાં તેઓ 17 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ શકે છે. 222 બેઠકોમાંથી બહુમતના અપેક્ષિત આંકડા (112)થી આઠ સીટ દૂર રહેનાર ભાજપને આખરે સમર્થન કેવી રીતે મળશે? સૌથી મોટો સવાલ આ જ છે કારણ કે કોંગ્રેસ (78 બેઠકો) અને જેડીએસ (38 બેઠકો)એ હાથ મિલાવી લીધા છે અને બંનેને એક અપક્ષ વિધાયકનો પણ સાથ છે એવું કહેવાય છે. આ રીતે કોંગ્રેસ અને જેડીએસ પાસે હાલ બહુમતથી વધુ 117 ધારાસભ્યોનું સમર્થન હાસલ છે.

ભાજપનું ગણિત
સૂત્રોના જણાવ્યાં મુજબ બુધવારે કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં ચાર વિધાયકો પહોંચ્યા નહીં. આ જ રીતે જેડીએસના બે વિધાયક એચડી કુમારસ્વામીને જ્યારે પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે ગાયબ હતાં. આ ઉપરાંત એક અપક્ષ ધારાસભ્ય પણ ભાજપના આંગણે જોવા મળ્યો. કહેવાય છે કે ભાજપ આ જ સાત ધારાસભ્યોના દમ પર અપેક્ષિત બહુમતનો જુગાડ કરવાના મૂડમાં છે. જો આ ધારાસભ્યો પાટલી બદલીને ભાજપના પક્ષમાં આવી જાય તો કુલ મળીને પાર્ટીને કુલ 111 વિધાયકોનું સમર્થન મળશે. પરંતુ આમ છતાં પાર્ટી બહુમતનો આંકડો પાર કરી શકશે નહીં.

જેથી કરીને આ કમીને પૂરી કરવા માટે ભાજપની નજર જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની બે સીટો પર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ, રાજ્યપાલને આગ્રહ કરી શકે છે કે પાર્ટીને બહુમત સાબિત કરવા માટે પૂરતો સમય આપવામાં આવે અને વિશ્વાસમતના પરીક્ષણ પહેલા કુમારસ્વામીએ પોતાની જીતેલી બંનેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપી દે. જેના કારણે એક સીટ ઓછી થવાથી બહુમતનો આંકડો 111 સુધી પહોંચી શકે છે. જે ભાજપ માટે મદદરૂપ સાબિત થશે.

પ્લાન બી
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપનો પ્લાન બી એક પણ છે કે જો તેમનો પહેલો પ્લાન ફેલ જાય તો વિશ્વાસમતના પરીક્ષણ દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના 15 ધારાસભ્યો કોઈ પણ સદનમાં ઉપસ્થિત રહેશે નહીં. એટલે કે વિશ્વાસ મત દરમિયાન ગેરહાજર રહે. તેનાથી સદનમાં બહુમતનો અપેક્ષિત આંકડો 222માંથી 15 ઓછો થઈ જશે. સ્પષ્ટ છે કે ભાજપના હાલ 104 ધારાસભ્યોને ધ્યાનમાં લઈને આ આંકડો બહુમત માટે એકદમ સટીક હશે અને ભાજપ પોતાનો બહુમત સાબિત કરવામાં સફળ થઈ જશે.

લિંગાયત મુદ્દો
ચૂંટણીમાં કોંગ્રેસ ધર્મના આધાર પર લિંગાયતોને અલ્પસંખ્યક દરજ્જો આપવાનું કાર્ડ ફેંકી ચૂકી છે અને ચૂંટણીના પરિણામોથી એ સ્પષ્ટ છે કે આ કાર્ડ સફળ થયું નથી. હવે ચૂંટણી બાદ ભાજપ આ કાર્ડ રમી શકે છે. બીએસ યેદિયુરપ્પા લિંગાયત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. જેથી કરીને ભાજપ અત્યારથી એવું કહી રહી છે કે આ સમુદાયના નેતાને સત્તામાં પહોંચતા રોકવા માટે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કર્યુ છે. જેના આધારે ભાજપ લિંગાયતોના સન્માનનો મુદ્દો બનાવવાના મૂડમાં છે અને તે આધારે કોંગ્રેસ અને જેડીએસના લિંગાયત સમુદાય સાથે સંબંધ રાખનારા વિધાયકોને યેદિયુરપ્પાને સમર્થન આપવાની અપીલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટિકિટ પર 21 અને જેડીએસની ટિકિટ પર 10 લિંગાયત ધારાસભ્યો ચૂંટાઈ આવ્યાં છે. આવામાં જેટલા લિંગાયત વિધાયકો ભાજપને સપોર્ટ કરશે તેટલો ભાજપને તો ફાયદો જ થવાનો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news