રાહુલ ગાંધી બાદ હવે સ્મૃતિ ઇરાનીની ઉમેદવારી પર વિવાદ, ડિગ્રી પર સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફતી અમેઠી સંસદીય સીટથી ઉમેદવારી પત્રો પર તેમનાં નામ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનાં ઉમેદવાર અંગે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે

રાહુલ ગાંધી બાદ હવે સ્મૃતિ ઇરાનીની ઉમેદવારી પર વિવાદ, ડિગ્રી પર સવાલ

નવી દિલ્હી : હાઇ-પ્રોફાઇલ અમેઠી લોકસભા સીટ પર ચૂંટણી ખુબ જ રસપ્રદ થતી જઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તરફતી અમેઠી સંસદીય સીટથી ભરાયેલા ઉમેદવારી પત્ર પર તેમના નામ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનાં ઉમેદવારી પત્ર સામે પણ વિરોધ ઉઠાવાયો છે. રાહુલ ગાંધીનાં નામ પર વિરોધ બાદ સ્ક્રૂટની હવે 22 એપ્રીલે થશે. જ્યારે સ્મૃતિ ઇરાનીના ઉમેદવારી પર અપક્ષ ઉમેદવાર રોહિત કુમારે પોતાનાં વકીલ રાહુલ ચંદાનીના માધ્યમથી ચૂંટણી અધિકારીનો વિરોધ કર્યો છે. 

આ ઘટનાક્રમ બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, સાથે જ તેમની શૈક્ષણીક યોગ્યતા અને નાગરિકતા પર સવાલ ઉઠાવતા પુછ્યું કે, તેઓ બ્રિટિશ નાગરિક હતા તે દરમિયાન તેમણે એક વર્ષના અંતરમાં બીએ અને એમફિલની ડિગ્રી કઇ રીતે પ્રાપ્ત કરી લીધી. 

અમેઠી સંસદીય ચૂંટણી ક્ષેત્રના રિટર્નિંગ ઓફીસરમાં શનિવારે સ્કૂટનીની કાર્યવાહી ચાલુ થતાની સાથે જ રાહુલ ગાંધીનું નામ લેવામાં આવ્યું ત્યાર બાદ ચાર લોકોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો. વિરોધ બાદ રાહુલ ગાંધીના વકીલ રાહુલ કૌશીકે આ અપેક્ષાઓનુ ખંડન કરવા માટે સમય માંગ્યો. ત્યાર બાદ રિટર્નિંગ ઓફીસરે સ્ક્રુટનીની તારીખ આગળ વધારતા 22 એપ્રીલ કરી દીધી. રિટર્નિંગ ઓફીસર રામ મનોહર મિશ્રાએ આ અંગે એક પત્ર ઇશ્યું કરીને તેની માહિતી આપી. રાહુલ ગાંધીનું નામ જાહેર કરવા અંગે તેમનાં ઉમેદવારી પત્રો પર એક પછી એક ક્રમશ અફઝાલ, સુરેશ ચંદ્ર, ધ્રુવલાલ, સુરેશ કુમાર આ ચાર લોકોની તરફથી વિરોધ નોંધાવી ચુક્યા છે. હવે આ વિરોધ અંગેની સુનવણી સોમવારે થશે. 

બીજી તરફ ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના ઉમેદવારી અંગે અપક્ષ ઉમેદવાર રોહિત કુમારે પોતાનાં અધિવક્તા રાહુલ ચંદાનીના માધ્યમથી ચૂંટણી અધિકારીનો વિરોધ કર્યો છે. રાહુલ ચંદાનીએ કહ્યું કે, જ્યારે 2004માં તેમણે ચાંદની ચોકથી ચૂંટણી લડ્યા તો પોતાનાં હલફનામામાં માત્ર અને માત્ર બેચલર ઓફ રાટ્સ્ 1996માં પુર્ણ કરી ચુક્યા હોવાનું લખ્યું છે અને તેમણે કોઇ અન્ય ડિગ્રી અંગે કોઇ માહિતી નથી આપી. રાહુલ ગાંધીની વિરુદ્ધ 2014માં અમેઠીથી ચુંટણી લડવા દરમિયાન આપવામાં આવ્યું. હલફનામું 2019નાં હલફનામાથી અલગ હતું. ચંદાનીએ સ્મૃતિ ઇરાનીનાં હલફનામામાં 2019ના હલફનામાથી અલગ હતું. ચંદાનીએ સ્મૃતિ ઇરાનીનાં હલફનામામાં ખોટી માહિતી આપવાનો આરોપ લગાવતા ચૂંટણી અધિકારીથી ફરિયાદ કરતા માંગ કરી કે તેમની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news