Postponed News

આદિવાસીઓની સૌથી મોટી સમસ્યાનું સમાધાન, નર્મદા-તાપી રિવર લિંકઅપ યોજના સ્થગિત
ગુજરાતમાં હાલમાં જેનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવા પાર તાપી નર્મદા રિવરલિંક યોજના આખરે સ્થગિત કરવામાં આવી છે. મોદી સરકારનાં બીજા નંબરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને હાલ વિરોધ જોતા સ્થગિત કરવાનો વારો આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ખેડૂતો અંગેના કાયદા બાદ આ બીજા ડ્રીમ પ્રોજેક્ટ સમાન યોજના આદિવાસીઓના ભારે વિરોધ વચ્ચે આખરે સ્થગિત કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે આયોજીત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી વિસ્તારના સાંસદો, ધારાસભ્યો અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય સિંચાઇમંત્રી ગજેન્દ્ર શેખાવત પણ હાજર રહ્યા હતા. 
Mar 28,2022, 21:48 PM IST
Dahod: જિલ્લાના ખ્યાતનામ ચૂલનો મેળો તંત્ર દ્વારા મુલતવી રાખવામાં આવ્યો
Mar 29,2021, 23:38 PM IST

Trending news