ચેનલની ડિબેટમાં ભાગ લીધા બાદ એવું તે શું થયું કે કોંગ્રેસના પ્રવક્તાનું થયું નિધન, જાણો અહીં

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. રાજીવ ત્યાગીના નિધનની જાણકારી આપતાં કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટ કર્યું અને કહ્યું, 'રાજીવ ત્યાગીના આકસ્મિત નિધનથી અમને ઉંડો આધાત લાગ્યો છે.

ચેનલની ડિબેટમાં ભાગ લીધા બાદ એવું તે શું થયું કે કોંગ્રેસના પ્રવક્તાનું થયું નિધન, જાણો અહીં

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું છે. રાજીવ ત્યાગીના નિધનની જાણકારી આપતાં કોંગ્રેસ પાર્ટીએ એક ટ્વિટ કર્યું અને કહ્યું, 'રાજીવ ત્યાગીના આકસ્મિત નિધનથી અમને ઉંડો આધાત લાગ્યો છે. એક પાકા કોંગ્રેસી અને દેશભક્ત. દુખની આ ઘડીમાં અમારા વિચાર અને પ્રાર્થનાઓ તેમના પરિવાર સાથે છે.  

— Congress (@INCIndia) August 12, 2020

તમને જણાવી દઇએ કે રાજીવ ત્યાગી સાંજ સુધી બિલકુલ સાજા હતા. તેમણે સાંજે 3: 41 મિનિટ પર ટ્વિટ કર્યું હતું. આજે સાંજે 5 વાગે એક ચેનલના ડિબેટમાં ભાગ લઇશ. આ ડિબેટમાં ત્યાગી સામેલ પણ થયા ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો. તેમણે ગાજિયાબાદની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરી દીધા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજીવ ત્યાગીને પાર્ટીના સમર્પિત યોધ્ધા ગણાવતાં લખ્યું 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીજીની અસાયિક મૃત્યું મારા માટે એક વ્યક્તિગત દુખ છે. અમારા બધા માટે અયૂર્ણીય ક્ષતિ છે. રાજીવજી વિચારધારા સમર્પિત યોધ્ધા હતા. સમસ્ય યૂપી કોંગ્રેસ દ્વારા પરિજનોને હદયથી સંવેદના. ઇશ્વર તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. 

राजीव जी विचारधारा समर्पित योद्धा थे। समस्त यूपी कांग्रेस की ओर से परिजनों को हृदय से संवेदना।

ईश्वर उनके परिवार को दुख सहने की शक्ति दें। pic.twitter.com/GpdsAeKwxo

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2020

રાહુલ ગાંધીએ પણ રાજીવ ત્યાગીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કર્યું, 'પાર્ટીએ આજે પોતાનો એક બબ્બર શેર ગુમાવી દીધો. રાજીવ ત્યાગી કોંગ્રેસ પ્રેમ તથા સંઘર્ષની પ્રેરણા રૂપમાં હંમેશા યાદ રહેશે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ તથા પરિવારને સંવેદનાઓ.'

राजीव त्यागी के कॉंग्रेस प्रेम व संघर्ष की प्रेरणा हमेशा याद रहेंगे।

उन्हें मेरी भावभीनी श्रद्धांजलि व परिवार को संवेदनाएँ। pic.twitter.com/9C0SNuFFYK

— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ રાજીવ ત્યાગીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'કોંગ્રેસના પ્રવક્તા મારા મિત્ર રાજીવ ત્યાગી આપણી સાથે નથી. આજે 5 વાગે અમે બંને ડિબેટએ સાથે ડિબેટ પણ કરી હતી. જીવન ખૂબ જ અનિશ્વિત છે. હજુ પણ શબ્દો નથી મળતા.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news