સામે આવી સુશાંત સિંહ રાજપૂતની ડાયરી, લખી હતી આ ઇમોશનલ વાતો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક ડાયરી સામે આવી છે. તેને જોઇને એવું લાગે છે કે તે નિયમિત રીતે ડાયરી લખતા હતા. ZEE NEWS પાસે ડાયરીના કેટલાક પાના ઉપલબ્ધ છે.

સામે આવી સુશાંત સિંહ રાજપૂતની ડાયરી, લખી હતી આ ઇમોશનલ વાતો

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક ડાયરી સામે આવી છે. તેને જોઇને એવું લાગે છે કે તે નિયમિત રીતે ડાયરી લખતા હતા. ZEE NEWS પાસે ડાયરીના કેટલાક પાના ઉપલબ્ધ છે. સાફ-સુથરી અંગ્રેજીમાં લખેલી ડાયરીના પાનામાં સુશાંત સિંહ રાજપૂતે એ વાત પર ભાર મુક્યો છે કે લોકો તેમને સમજે. તેમણે લખ્યું- 'હું ઇચ્છું છું કે લોકો મને સમજે'.

આ ડાયરીમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ પોતાની 2020ની ભાવિ યોજનાઓને પણ બતાવી છે. તેમણે રીતસર પોતાને જરૂરિયાત N (Need), P એટલે કે પબ્લિક પ્રેજેંસ પર ઘણું બધુ લખ્યું છે. ઘણી જગ્યાઓ પર ફ્લો ચાર્ટ બનીને રીતસર તેમણે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 

આ સાથે જ એક અન્ય જગ્યાએ તેમણે આ વર્ષની પોતાની બોલીવુડ, હોલીવુડ અને કંપની વિશે લખ્યું. ફિલ્મોની સ્ક્રિપ્ટ વિશે લખ્યું કે કયા પ્રકારની સ્ક્રિપ્ટને મહત્વ આપવું જોઇએ. દર્શકોમાં સીન પ્રભાવ પાડવા માટે શું ઉપાય કરવા જોઇએ અને તે પોતે તેને લઇને કયા પ્રકારની તૈયારી કરશે? આ વાતોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. 

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની કેસની તપાસ વચ્ચે પરિવારે 9 પાનની એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે દરેક શબ્દ પરિવારને વિખરેરવા, તોડવાની કહાણી રજૂ કરે છે, પરિવારની ચિઠ્ઠીનો દરેક શબ્દ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય માંગી રહ્યો છે. પરિવારની ચિઠ્ઠીનો દરેક શબ્દ ઘણા કાવતરાઓ તરફ ઇશારો કરે છે. પરિવારની ચિઠ્ઠીની શરૂઆત એક શેર સાથે કરવામાં આવી છે.

આ સાથે જ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારજનોએ ચિઠ્ઠી દ્વારા એ આરોપ લગાવ્યો છે કે સુશાંતને ન્યાયના બદલે તેમના પર ચોતરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સુશાંતના પારિવારિક સૂત્રોના અનુસાર સીબીઆઇ અને બિહાર પોલીસ સામે તેમણે સુશાંત સિંહની ઓટોપ્સી રિપોર્ટને લઇને શંકા વ્યક્ત કરી છે. પરિવારના સૂત્રોના અનુસાર સુશાંત સિંહની પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેમની મોત સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેમનું મોત Asphyxia એટલે કે શ્વાસ રૂંધાવાથી થયું છે. આ કેસમાં head skull ને પુરી રીતે ઓપન કરવું જોઇતું હતું, જેથી Scalpના ઇન્ટરનેશનલ એક્ઝામિનેશન બાદ Sub Scalp Layers નું એક્ઝામિનેશન કરવાનું હતું, જેથી કોઇપણ પ્રકારની ઇંજરી વિશે ખબર પડે છે. 

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, ત્યારબાદથી મુંબઇ પોલીસ સતત આ કેસની તપાસ કરી રહી હતી. તો બીજી તરફ પટનામાં સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા એફઆઇઆર દાખલ કર્યા બાદ બિહાર પોલીસની એક ટીમ પણ આ કેસની તપાસ માટે મુંબઇ પહોંચી હતી. હવે આ કેસ સીબીઆઇ પાસે છે. તો બીજી તરફ આ કેસમં ઇડી પણ પોતાની તપાસમાં લાગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news