દિગ્વિજય સિંહ ભોપાલથી લડશે લોકસભા, 30 વર્ષથી એક પણ વખત નથી જીત્યું કોંગ્રેસ

લોકસભા ચૂંટણી 2019માં મધ્યપ્રદેશની ભોપાલ સીટ સૌથી રોમાંચક દંગલમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે

દિગ્વિજય સિંહ ભોપાલથી લડશે લોકસભા, 30 વર્ષથી એક પણ વખત નથી જીત્યું કોંગ્રેસ

ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે શનિવારે અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભોપાલ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. કમલનાથે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમીતિએ નિશ્ચય કર્યો છે કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચુંટણી લડશે. આ નામની હું જાહેરાત કરી શકું છું. આ સાથે જ તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહને ઇંદોર, જબલપુર અથવા ભોપાલથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. અંતમાં નિશ્ચય થયો કે દિગ્વિજય સિંહ ભોપાલથી જ લડશે. 

કમલનાથે કહ્યું કે, આ નિર્ણયથી તેઓ ખુબ જખુશ છે
કમલનાને જ્યારે પુછવામાં આવ્યું કે, ભોપાલથીચૂંટણી લડાવવાનાં નિર્ણયથી દિગ્વિજય સિંહ ખુશ છે કે નહી ? કમલનાથે કહ્યું કે, આ તો તેમને પુછો, પરંતુ હું તો ખુશ છું. દિગ્વિજયે રાજ્યવિધાનસભાની અંતિમ ચૂંટણી 2003માં લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય બાદ  તેમમે 10 વર્ષ સુધી કોઇ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. જેના કારણે તેમણે અત્યાર સુધી કોઇ જ ચૂંટણી નથી લડી. દિગ્વિજય વર્તમાન માં રાજ્યસભા સાંસદ છે. કોંગ્રેસની ડોઢ દશક બાદ રાજ્યમાં સત્તા વાપસી થઇ છે અને હવે દિગ્વિજયસિંહ પણ ચૂંટણીલ ડવા તૈયાર છે. 

1989 બાદ ક્યારે પણ કોંગ્રેસ નથી જીતી શકી
ભોપાલ સંસદીય  વિસ્તારમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામ  પર નજર  નાખતા જાણવા મળે છે કે આ સીટ ભાજપનો ગઢ બની ચુકી છે. ભોપાલમાં વર્ષ 1989 બાદથી અત્યાર સુધી 8 ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને જીત  મળી છે. અહીંથી સુશીલ ચંદ્ર વર્મા, ઉમા ભારતી, પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશી અને આલોક સંજય ચૂંટાઇ ચુક્યા છે. બીજી તરફ આ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના 6 સાંસદો ચૂંટાઇ ચુક્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા મુખ્ય છે. આ પ્રકારે વર્ષ 1977ની ચૂંટણીમાં લોકદળથી આરિફ બેગ અહીંથી ચુંટાયા હતા. 

રાજ્યમાં લોકસભાની 29 સીટો છે, જેમાંથી 26 પર ભાજપનો કબ્જો છે. ત્રણ સીટો કોંગ્રેસ પાસે છે. છિંદવાડાથી કમલનાથ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રતલામથી કાંતિલાલ ભુરિયા કોંગ્રેસના સાંસદ છે. 

ભાજપ નહી ગુમાવવા માંગે ભાજપની આ સીટ
આ સીટ પર લાંબા સમયથી ભાજપનો કબ્જો રહ્યો છે. એવામાં તેઓ આ સીટને કોંગ્રેસ પાસે નહી જવા દેવા માંગે. જો કે તેને એ પણ ધ્યાન રાખવું પડશે કે સામે દિગ્વિજય સિંહ છે. એવામાં તેને પણ પોતાનો હેવીવેટ ઉમેદવાર જ મેદાનમાં ઉતરવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news