Corona Update: કોરોનાના ઘટતા કેસ રાહત આપી રહ્યા છે પણ વધતો મૃત્યુઆંક ચિંતાજનક

Covid 19 Cases in India: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 2.34 લાખ નવા કેસ નોંધાયા છે

Corona Update: કોરોનાના ઘટતા કેસ રાહત આપી રહ્યા છે પણ વધતો મૃત્યુઆંક ચિંતાજનક

Covid 19 Cases in India: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 2.34 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 14.50 ટકા છે. હાલ દેશમાં 18,84,937 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 2,35,532 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં આજે મામૂલી ઘટાડો નોંધાયો છે. 

નવા 2.34 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,34,281 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 3,52,784 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 14.50 ટકા છે. જ્યારે કોરોનાથી રિકવરી રેટ 94.21 ટકા છે. 

Active case: 18,84,937(4.59%)
Daily positivity rate: 14.50%

Total Vaccination : 1,65,70,60,692 pic.twitter.com/wVB1BpLeOW

— ANI (@ANI) January 30, 2022

એક દિવસમાં 893 લોકોના મોત
કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ સામે મોતનો આંકડો વધી રહ્યો છે. ગઈ કાલે 871 લોકોના મોત નોંધાયા હતા જ્યારે આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દિવસમાં 893 લોકોના મોત થયા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો એક દિવસમાં 16,15,993 કોરોના ટેસ્ટ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલા કોરોના ટેસ્ટનો આંકડો હવે 72.73 પર પહોંચી ગયો છે. 

કોરોનાને માત આપવા માટે દેશમાં વ્યાપક સ્તરે રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 165.70 ડોઝ અપાઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news