કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી શિલાંગમાં પૂછપરછ કરી રહી છે CBI

કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાની તેમની કથિત ભૂમિકાને લઇને સીબીઆ પૂછપરછનો સામનો કરવા શુક્રવારે મેઘાલયની રાજધાની શિંલાગ પહોંચ્યા હતા.

કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી શિલાંગમાં પૂછપરછ કરી રહી છે CBI

નવી દિલ્હી: શાદરા ચિટફંડ કૌભાંડ મામલે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શનિવારે પૂછપરછ માટે શિલાંગ સ્થિત કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો (સીબીઆ)ની ઓફિસ પહોંચ્યા છે. સીબીઆઇ આ મામલે તેમનાથી આજે પૂછપરછ કરશે. તેના માટે દિલ્હીથી સીબીઆઇની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ છે.

કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાની તેમની કથિત ભૂમિકાને લઇને સીબીઆ પૂછપરછનો સામનો કરવા શુક્રવારે મેઘાલયની રાજધાની શિંલાગ પહોંચ્યા હતા. રાજીવ કુમારની સાથે કોલકાતા પોલીસના ત્રણ અન્ય આઇપીએસ અધિકારી પણ શિલાંગ પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટે મગંળવારે કોલકાતાના પોલીસ કમિશ્નરને સીબીઆઇની સામે હાજર થવા અને શારદા ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલા મામલે તપાસમાં તેમની સાથે ‘વિશ્વસનીય રીતથી’ સહયોગ કરવા સૂચના આપી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે શારદા ચિટફંડ કૌભાંડની એસઆઇટી તપાસની આગેવાની કરી રહેલા કુમારે ઇલેક્ટ્રોનિક પુરાવાની સાથે છેડછાડ કરી અને તેમણે સીબીઆઇને જે દસ્તાવેજ સોંપ્યા તેમાંથી કેટલાકમાં છેડછાડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ‘બધા બિનજરૂરી વિવાદોને ટાળવા માટે’ કુમારને તટસ્થ સ્થાન શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો.

સીબીઆઇ અધિકારી રવિવારે કુમારથી પુછપરછ માટે તેમના ઘરે પહોંચી ગઇ હતી, પરંતુ કોલકાતા પોલીસે તેમના પ્રયાસનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘બંધારણથી બચાવવા માટે’ ત્રણ દિવસ સુધી ધરણા કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news