મહારાષ્ટ્રમાં બે દિવસમાં ખુલશે પત્તા, રાજ્યપાલને મળીને દાવો રજૂ કરી શકે છે NCP-શિવસેના-કોંગ્રેસ 

મહારાષ્ટ્ર (Maharastra)માં આગામી સરકાર મામલે જામેલું સસ્પેન્સ આગામી બે દિવસોમાં ખુલી શકે છે. મળતી માહિતી પ્રમાણે આગામી બે દિવસોમાં શિવસેના (Shivsena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં બે દિવસમાં ખુલશે પત્તા, રાજ્યપાલને મળીને દાવો રજૂ કરી શકે છે NCP-શિવસેના-કોંગ્રેસ 

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં આગામી સરકાર મામલે જામેલું સસ્પેન્સ આગામી બે દિવસોમાં ખુલી શકે છે. મળતી માહિતી પ્રમાણે આગામી બે દિવસોમાં શિવસેના (Shivsena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સરકાર બનાવવા માટે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ ગઈ છે. એક ચર્ચા પ્રમાણે ત્રણેય દળના નેતા ઇચ્છે છે કે આ તમામ મુદ્દે લેખિત કરાર થઈ જાય અને પછી જ સરકાર બનાવવા માટે રાજ્યપાલને મળવાનો નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે હાલમાં શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન વિશે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યપ્રધાન હશે. અત્યાર સુધી શિવસેનાનું વલણ હતુ કે સરકારનું ગઠન 50-50 ફોર્મ્યુલાના આધારે નક્કી થશે અને શિવસેનાનો મુખ્યમંત્રી અઢી વર્ષ માટે હશે પણ હવે એમાં ફેરફાર થયો છે. 

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શુક્રવારે આખો દિવસ અલગઅલગ બેઠકોનો દોર ચાલશે અને સાંજ સુધી સરકાર ગઠનના મામલે મોટું એલાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ના નેતા આજે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા અને આ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news