Corona: લૉકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર, સતત ત્રીજા દિવસે કેસમાં ઘટાડો

Corona virus in maharashtra: મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 4758 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહાનગરમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસ થઈ ચુક્યો છે.
 

Corona: લૉકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર, સતત ત્રીજા દિવસે કેસમાં ઘટાડો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ (Corona virus in maharashtra) દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27,918 કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે 139 લોકોના મોત થયા છે. આંકડા પ્રમાણે જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટ્યા છે. રાજ્યમાં 30 માર્ચે 27,918 કેસ, 29 માર્ચે 31,643 કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 

તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 4758 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહાનગરમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસ થઈ ચુક્યો છે. કોરોનાની સ્થિતિ જોતા સીલ કરનારી ઈમારતોની સંખ્યા વધીને 600થી વધુ થઈ ચુકી છે. મુંબઈમાં અત્યાર સુધી 602 ઇમારતોને સીલ કરવામાં આવી છે. 

Total cases 27,73,436
Total recoveries 23,77,127
Death toll 54,422

Active cases 3,40,542 pic.twitter.com/xp5pcX9dsF

— ANI (@ANI) March 30, 2021

મુંબઈ દેશના તે 10 જિલ્લામાં સામેલ છે, જ્યાં કોરોનાના એક્ટિવ કેસ સૌથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીમાં જણાવ્યું કે, પુણે, નાગપુર, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરૂ શહેર, નાંદેડ, દિસલ્હી, અહમદનગર તે જિલ્લા છે જ્યાં કોરોનાના એક્ટિવ કેસ સૌથી વધુ છે. 

મહારાષ્ટ્ર તે રાજ્યોમાં સામેલ રહ્યું છે જ્યાં વધુ કેસ સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મંગળવારે મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને મધ્ય પ્રદેશ સહિત છ રાજ્યોમાંથી એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં સામે આવેલા 56,211માં 78.56 ટકા મામલે આ રાજ્યોમાંથી છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમં 56 હજાર કેસ
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 56,211 નવા કેસ સામે આવ્યા છે અને 271 લોકોના મોત થયા છે. આ દરમિયાન 37028 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દિલ્હીમાં આજે કોરોનાના નવા 992 કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 660611 છે અને અત્યાર સુધી 11016 લોકોના મૃત્યુ થયા છે. 

ભારતમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં યૂકેના 807 સ્ટ્રેન, આફ્રિકાના 47 સ્ટ્રેન અને બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ મળ્યો છે. આમ દેશમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ સામે આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news