‘જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ’: મમતા બેનરજી

દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિતરના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરની મસ્જિદોમાં ઈદ-ઉલ-ઇઇ-ફિતરની તક પર લોકો નમાઝ અદા કરી રહ્યાં છે. આ તક પર બધા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

‘જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ’: મમતા બેનરજી

કોલકાતા: દેશભરમાં આજે ઈદ-ઉલ-ફિતરના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરની મસ્જિદોમાં ઈદ-ઉલ-ઇઇ-ફિતરની તક પર લોકો નમાઝ અદા કરી રહ્યાં છે. આ તક પર બધા એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ તક પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. મમતા બેનરજીએ ઈદના તહેવાર પર આયોજિત એક કાર્યક્રમમાં તેમના સંદેશમાં કહ્યું કે, ઈદ તમારા માટે નવી સવાર લઇને આવશે, કોઇ રકી શકતું નથી. તેમણે કહ્યું કે અમે લડીશુ અને જીતીશુ.

મમતા બેનરજીએ ટ્વીટ કરી કહ્યું, ઈદ-ઉલ-ફિતરના તક પર દરેરને હાર્દિક શુભેચ્છાઓ... ધર્મ વ્યક્તિગત આસ્થાનો વિષય છે, પરંતુ તહેવાર સાર્વત્રિક છે. આવો આપણે એકતાની આ ભાવનાઓને બનાવી રાખીએ અને શાંતિ અને દદ્ભાવમાં એક સાથે રહીએ.

mamata banerjee we will fight and win, those who are afraid they die

ઈદની આ તક પર આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, તમે ડરશો નહીં, દુ:ખી થશો નહીં, તમે આગળ વધો, માનવતા માટે આગળ વધો. રોશની ચાંદથી મળે છે, ઈદ મિલન માટે શુભેચ્છાઓ લઇને આવે છે. ઈદ તમારા માટે નવી સવાર લાવશે, કોઇ રોકી શકતું નથી, જો કોઈ અવરોધ હોય તો તેના માટે માફ કરશો. તમે જે બંગાળ માટે મદદ કરી, તેના માટે આભાર.

લોકોને સંબોધંન કરતા સીએમ મમતાએ કહ્યું કે, તમે લોકો સમાજમાં એક સાથે રહેવા માટે, એકતા માટે, સેક્યૂલરિઝ્મ માટે, દેશની પરંપરા માટે, રાજ્યની પરંપરા માટે, આગળ વધવામાં મદદ કરતા આવ્યા છો. તમે લોકો સાથે છો, દરેક લડાઇમાં અમે સાથે છીએ, અમે લડીશું, તેમાં ભયભીત થવાનો કોઇ વાત નથી. ‘જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ.’

જો કે, બોર્ડર સુરક્ષા દળના જવાનોને પશ્ચિમ બંગાળની સિલીગુડીની પાસે ભારત-બાગ્લાદેશ બોર્ડ પર ફુલવાડીમાં બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશના કર્મીઓની સાથે મિઠાઇનું અદાન પ્રદાન કર્યું અને ઈદની શુભેચ્છાઓ પાઠવી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news