યુપી સરકારમાં તડા પડ્યાં: રાજભરે રેલીમાં રાજીનામાની જાહેરાત કરી દીધી

હું સત્તાનો સ્વાદ ચાખવા માટે નહી પરંતુ ગરીબોની લડાઇ લડવા માટે આવ્યો છું, ભાજપનો ગુલામ બનીને નહી રહું

યુપી સરકારમાં તડા પડ્યાં: રાજભરે રેલીમાં રાજીનામાની જાહેરાત કરી દીધી

લખનઉ : યૂપીમાં ભાજપ સરકારનાં ઘટક દળ સુહેલદેવ ભારત સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે શનિવારે લખનઉમાં રેલી દરમિયાન ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હું, હું સત્તાનો સ્વાદ ચાખવા માટે નથી આવ્યો, ગરીબો માટે લડાઇ કરવા માટે આવ્યો છું. આ લડાઇ લડુ અથવા તો ગુલામ બનીને રહું.એક કાર્યાલય હજી સુધી મને નથી આપી. મે તો તૈયારી કરી લીધું છે કે આજે આ મંચથી હું જાહેરાત કરીશ કે, આજે રાજીનામું સોંપીને જ રહીશ.

સુહેલ દેવે કહ્યું કે, મારૂ મન તુટી ચુક્યું છે. તે ભાજપ હિસ્સો આપવા નથી માંગતી. જ્યારે પણ ગરીબના સવાલ પર હિસ્સાની વાત કરુ છું તો તે મંદિરની વાત કરે છે, મસ્જિદની વાત કરે છે, હિંદુ મુસલમાનની વાત કરીએ છીએ. હું કોઇનો ગુલામ નથી. હું અતિ પછાત અને અતિ દલિતનો ગુલામ હોઇ શકુ છું. કોઇ સત્તાનો ગુલામ બની શકું નહી. તે મને ક્યારે પણ મંજુર નથી.
लखनऊ में ओमप्रकाश राजभर की बड़ी रैली आज, तोड़ सकते हैं BJP से नाता!
રાજભરે કહ્યું કે, સીએમ યોગીએ વિધાનસભામાં જાતીઓના વર્ગીકરણનું વચન કર્યું હતું, અમિત શાહે વચન આપ્યું હતું. હવે હું કહું છું તો ભાજપનાં નેતાઓ ચુપ છે. તેમણે કહ્યું કે, ચૂંટણી આવી રહી છે, જે પણ પાર્ટી તમને એક પેકેટ પુરી-શાક અને લાડ્ડુ તેને 10 પેકેટ પુરી આપી દો, તેની રેલમાં ન જશો.તેમની રેલીમાં પીળા ઝંડાઓ લઇને આવો. 

રાજભરે કહ્યું કે, અમે શંકરજીના પુજારી છીએ. જે દલિતો અને અતિ પછાતના સવાલ પર બળવો કરીશું અને તેને કમળો થઇ જશે. અમે પ્રદેશનાં 4 ભાગમાં વહેંચણી કરવા માંગીએ છીએ. જાતીઓના હિસાબથી 6-6 મહિનાના મુખ્યમંત્રી બનવા જોઇએ. એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે યોગ્ય કહ્યું હતું. બસપા શાસનમાં તેનો દુરૂપયોગ થયો હતો તો માયાવતીએ પણ તપાસની વાત કરી હતી. જો કે ભાજપે જે નિર્ણય કર્યો હતો તેની સાથે નથી. વડાપ્રધાન મોદીના રાજ્ય ગુજરાતમાં દારુ બંધ થઇ ગઇ, બિહારમાં દારૂ બંધ છે તો યુપીમાં થવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news