શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક 

દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. 
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક 

નવી દિલ્હી: દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. 

— ANI (@ANI) November 30, 2020

કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,772 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 94,31,692 પર પહોંચી છે. જેમાંથી 4,46,952 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 88,47,600 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 443 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,37,139 થયો છે. 

With 443 new deaths, toll mounts to 1,37,139 . Total active cases at 4,46,952

Total discharged cases at 88,47,600 with 45,333 new discharges in last 24 hrs. pic.twitter.com/PkglBuHpxm

— ANI (@ANI) November 30, 2020

અત્યાર સુધીમાં 14,03,79,976  કોરોના ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશમાં 14,03,79,976 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8,76,173 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news