રેલવેને પણ વેચી દેશે ભાજપ, કારણ કે તેમની સ્કિલ બનાવવાની નહી, વેચવાની છે: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi Vadra)એ કેગ (CAG)ના આ રિપોર્ટને લઇને સરકાર પર હુમલો કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે (Indian Railway)નું ટ્રાંસપોર્ટ 10 વર્ષથી ખરાબ થઇ રહ્યું છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે કેન્દ્ર અન્ય ઉપક્રમોની માફક રેલવેને પણ વેચવા ઇચ્છે છે.

રેલવેને પણ વેચી દેશે ભાજપ, કારણ કે તેમની સ્કિલ બનાવવાની નહી, વેચવાની છે: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi Vadra)એ કેગ (CAG)ના આ રિપોર્ટને લઇને સરકાર પર હુમલો કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે (Indian Railway)નું ટ્રાંસપોર્ટ 10 વર્ષથી ખરાબ થઇ રહ્યું છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે કેન્દ્ર અન્ય ઉપક્રમોની માફક રેલવેને પણ વેચવા ઇચ્છે છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ રેલવેને સૌથી ખરાબ હાલતમાં મુકી દીધી છે. તમને જણાવી દઇએ કે દેશની ટ્રાંસપોર્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ રેલવેને 100 રૂપિયાની કમાણી કરવા માટે 98.44 રૂપિયા ખર્ચ કરવા પડે. આ આંકડા 2017-18ના છે, જે ગત 10 વર્ષમાં રેલવેની સૌથી ખરાબ સ્થિતિને રજૂ કરે છે. 

સંસદમાં સોમવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતના કેગે જણાવ્યું કે ભારતીય રેલવે ટ્રાંસપોર્ટ 2017-18માં 98.44 ટકા હતું જોકે ગત 10 વર્ષમાં સૌથી ખરાબ હતું. 98.44 ટકા ટ્રાંસપોર્ટનો અર્થ એ છે કે રેલવેએ દરેક સો રૂપિયા કમાતા 98.44 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. 

રેલવેનો ઓપરેટીંગ ખર્ચ 2017-18માં ગત 10 વર્ષોથી સૌથી ખરાબ
કેગે કહ્યું કે રેલવે જો એનટીપીસી અને ઇરકોન અગ્રિતમા પ્રાપ્ત ન કરી તો તેને 1,665.61 કરોડ રૂપિયાના વધુના બદલામાં 5,676.29 કરોડ રૂપિયાનું નુકસાન થાત. ઓડિટર્સે કહ્યું કે આ એડવાન્સને બાદ કરતાં ટ્રાંસપોર્ટ ખર્ચ 102.66 ટકા હશે. ભારતીય રેલ યાત્રી સેવા અને અન્ય કોચિંગ સર્વિસનો ટ્રાંસપોર્ટ ખર્ચ પુરો કરવામાં અસમર્થ છે. માલભાડાથી પ્રાપ્ત થનાર લાભ લગભગ 95 ટકા મુસાફર સેવા તથા અન્ય કોચિંગ સર્વિસને પુરો કરવામાં થઇ જાય છે. 

મુસાફરોને આપવામાં આવતી રાહતની અસરોની સમીક્ષાથી ખબર પડે છે કે રાહત પર ખર્ચ થનાર ધનનો 89.7 ટકા વરિષ્ઠ નાગરિકો અને વિશેષાધિકારો પ્રાપ્ત પાસ/વિશેષાધિકારો પ્રાપ્ત ટિકીટ ઓર્ડર ધારીઓ પર ખર્ચ કરવામાં આવ્યો છે. 

કેગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે વરિષ્ઠ નાગરિકો દ્વારા મુસાફરીમાં રાહતનો પ્રાત્ય કરવાની યોજના એટલે કે 'ગિવ અપ' સ્કીમને જે પ્રતિક્રિયા મળી તે ઉત્સાહવર્ધન નથી. રિપોર્ટ અનુસાર ચોખ્ખી આવક સરપ્લસ 2016-17 માં 4,913 કરોડ રૂપિયા હતા જે 2017-18 માં 66.10 ટકા ઘટીને 1,665.61 કરોડ રૂપિયા રહી ગઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news