સુષ્મા સ્વરાજ અલવિદા: ભારતીય રાજનીતિના પ્રખર વક્તા અને કુશળ નેતા, આવું રહ્યું રાજકીય જીવન

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતા. 
 

સુષ્મા સ્વરાજ અલવિદા: ભારતીય રાજનીતિના પ્રખર વક્તા અને કુશળ નેતા, આવું રહ્યું રાજકીય જીવન

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેકથી દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતાં. ઘણા સમયથી તેઓ બિમાર હતા. ભાજપના કદાવર નેતા અને એક પ્રખર વક્તા સિવાય સુષમા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ વિદેશ પ્રધાન બનનારા તેઓ બીજા મહિલા નેતા હતા. 

14 ફેબ્રુઆરી 1952ના હરિયાણાના અંબાલા કેન્ટમાં જન્મેલા સુષમા સ્વરાજના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના મહત્વના સભ્યોમાં સામેલ હતા. તેમના માતા-પિતાનો સંબંધ પાકિસ્તાનના લાહોર સ્થિત ધર્મપુરા વિસ્તારમાંથી હતા. અંબાલા કેન્ટના સનાતમ ધર્મ કોલેજથી તેમણે સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાનથી શિક્ષણ હાસિલ કર્યું હતું. ત્યારબાદ તેમણે ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીથી કાયદામાં શિક્ષણ મેળવ્યું હતું. યુવાવસ્થાથી જ સુષમા સ્વરાજ એક સારા વક્તા રહ્યાં છે. હરિયાણાના ભાષા ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત રાજકીય પ્રતિયોગિતામાં તેમણે સતત ત્રણવાર બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. 

એબીવીપીથી શરૂ કર્યું હતું રાજકીય કરિયર
વર્ષ 1970મા સુષમા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી પોતાનું રાજકીય કરિયર શરૂ કર્યું હતું. તેમના પતિ સ્વરાજ કૌશલ સમાજવાદી નેતા જોર્જ ફર્નાન્ડિસ સાથે જોડાયેલા હતા અને સુષમા સ્વરાજ વર્ષ  1975મા ફર્નાન્ડિસની લીગલ ડિફેન્સ ટીમનો ભાગ બન્યા હતા. આ પહેલા 1973મા તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જયપ્રકાશ નારાયણના આંદોલમાં પણ તેઓ સામેલ રહ્યાં હતા. 

કટોકટી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા અને ધીરે-ધીરે પાર્ટીમાં તેમનું કદ વધ્યું હતું. જુલાઈ 1977મા તેઓ દેવી લાલની આગેવાની વાળી જનતા પાર્ટીની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષના હતા. આ રીતે તેઓ વિધાનસભામાં સૌથી યુવા સભ્ય હતા. ત્યારબાદ 1987થી 1990 સુધી હરિયાણાના શિક્ષણ પ્રધાન પણ રહ્યાં હતા. 27 વર્ષની ઉંમરમાં સુષમા સ્વરાજને જનતા પાર્ટી (હરિયાણા)ના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી
સુષમા સ્વરાજે એપ્રિલ 1990મા રાષ્ટ્રીય રાજનીતિમાં પગ મુક્યો હતો. તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1996મા તેઓ દક્ષિણી દિલ્હી વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર 1998મા તેમણે કેબિનેટમાંથી રાજીનામાં આપ્યું અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા. પરંતુ વધતી મોંઘવારીને કારણે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયું અને સુષમા સ્વરાજે બીજીવાર રાષ્ટ્રીય રાજનીતિમાં વાપસી કરી હતી. 

જ્યારે 7%ના માર્જિનથી હારી ગયાં હતાં
સપ્ટેમ્બર 1999મા ભાજપે સુષમા સ્વરાજને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના બેલ્લાસી સીટથી ઉતારવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પ્રચારમાં લોકોને કન્નડમાં સંબોધિત કર્યાં અને માત્ર 12 દિવસના ચૂંટણી પ્રચારમાં તેમણે 358000 મત મળ્યા હતા. પરંતુ તેઓ સોનિયા ગાંધી સામે માત્ર 7 ટકા મતથી હારી ગયા હતા. 

મોદી સરકારમાં બન્યા હતાં વિદેશ પ્રધાન
નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સુષમા સ્વરાજને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પીએમ મોદીની વિદેશ નીતિને લાગૂ કરાવવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં તેમનાં ભાષણની પ્રશંસા થઈ હતી, જેમાં તેમણે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપ્યો હતો. સુષમા સ્વારજ 7 વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહ્યાં હતા. 

સ્વરાજ કૌશલ સાથે કર્યાં લગ્ન
13 જુલાઈ 1975ના સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલે સુષમા સ્વરાજે લગ્ન કર્યાં હતા. બંન્નેને નજીક લાવવામાં કટોકટીનો મોટો ફાળો રહ્યો હતો. બંન્ને આ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. બંન્નેને એક પુત્રી બાંસુરી છે, જેણે ઓક્સફોર્ટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news