Budget 2024 : તમારા માટે હવે 'ઘૂઘરા'ની પણ જરૂર નથી, હવે બસ રામ રામ

Income Tax Slab In Budget 2024 : ઘણા નિષ્ણાતો કહેતા હતા કે મોંઘવારી સામે લડવા માટે ખિસ્સામાં વધુ રોકડ જરૂરી છે, તેથી નિર્મલા સીતારમણ ટેક્સમાં છૂટ આપશે પણ સરકારે  રામ મય માહોલે મોદી સરકારનો આત્મવિશ્વાસ એટલો બધો વધારી દીધો છે કે, દેશની પ્રજાને હવે ઘૂઘરાનો પણ અવકાશ રહ્યો નથી. 

Budget 2024 : તમારા માટે હવે 'ઘૂઘરા'ની પણ જરૂર નથી, હવે બસ રામ રામ

Income Tax Slab In Budget 2024 : બધી ચિંતાઓ છોડો બસ હવે રામ ભજો ભાઈ રામ, સરકારને હવે ભરપૂર આત્મ વિશ્વાસ આવી ગયો છે. નિર્મલા સિતારમણનનું વચગાળાનું બજેટ નામ જેવું જ હતું. કોમનમેન બસ હવે રામ સિયા રામ... સિયા રામ જય જય રામ કરશે.  જોકે અપેક્ષાઓ વધારે હતી. ખાસ કરીને નોકરિયાત વર્ગને. એમને બિચારાઓને એમ કે મોદી સરકારનું છેલ્લું બજેટ છે તો આવકવેરામાં થોડી રાહત મળશે અને ખિસ્સું ભરાઈ જશે. ઘણા નિષ્ણાતો કહેતા હતા કે મોંઘવારી સામે લડવા માટે ખિસ્સામાં વધુ રોકડ જરૂરી છે, તેથી નિર્મલા સીતારમણ ટેક્સમાં છૂટ આપશે પણ સરકારે  રામ મય માહોલે મોદી સરકારનો આત્મવિશ્વાસ એટલો બધો વધારી દીધો છે કે, દેશની પ્રજાને હવે ઘૂઘરાનો પણ અવકાશ રહ્યો નથી. 

રામ રામ સીયા રામ. બસ હવે ભજતે રહો.... સરકારી ખર્ચના હિસાબ કિતાબના લેખા જોખાં એટલે બજેટ પસાર થઈ ગયું છે, તે નિરસ હોવાનો અંદાજ તો હતો પણ પરંતુ આટલું હશે તેવી કોઈને અપેક્ષા નહોતી. હા એ વાત સાચી છે કે,  GST લાગુ થવાથી અને રેલવે બજેટ હવે અલગથી રજૂ ન થતાં હવે પહેલાં જેવો ઉત્સાહ નથી પરંતુ નોકરિયાત તો આ બજેટ પર ખાસ નજર રાખે છે. જેઓ નોકરિયાત કરતાં પણ વધુ કમાણી કરે છે પરંતુ ટેક્સ ભરતા નથી, જેઓને આવકવેરાના સ્લેબ વિશે પણ ખબર નથી. પરતું અમારા પગારમાંથી સીધા કપાઈ જાય છે. અમે દર વર્ષે બજેટમાં રાહ જોઈએ છીએ. આ રાહ 2017 થી ચાલુ છે. સાત વર્ષ થઈ ગયા. અરુણ જેટલીએ રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ વચ્ચેની આવક પરનો ટેક્સ ઘટાડ્યો હતો. તે પછી સ્લેબ બદલાયો જ નથી. તમે મનફાવે એમ ખર્ચા કરો અને દેવાં વધારતાં રહો અને અમારા ટેક્સના પૈસા અમારામાંથી કાપતા રહો... 

2019ના બજેટમાં પીયૂષ ગોયલે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 10 હજારથી વધારીને 50 હજાર રૂપિયા અને 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપી છે. આ પણ વચગાળાનું બજેટ હતું. આજે પણ વચગાળાનું બજેટ હતું. આ વખતે નરેન્દ્ર મોદીની ત્રીજી પરીક્ષા છે. તેથી લોકસભાની ચૂંટણી પહેલાં અપેક્ષાઓ હતી. આ ઉમ્મિદો તાર તાર થઈને તૂટી પડી છે.  મોદીનો આત્મવિશ્વાસ ભારે પડી ગયો છે. તમે આને ભરોસો પણ કહી શકો છો કારણ કે મોદી સરકારની ગેરંટી જ ભરોસો છે.  દેશની જનતા પર કે મતદારો પર..... જેની બાજુમાં 3.25 કરોડ આવકવેરા દાતાઓ ક્યાં ટકી શકે? અને તેમની આશા પણ ખતમ થઈ ગઈ છે, ભરોસો માત્ર મોદી પર છે. તે એક વિચિત્ર પરિસ્થિતિ છે. ભાજપ સારી રીતે જાણે છે કે નોકરિયાતોની નારાજગીની સહેજ માત્ર અસર પણ જનાદેશ પર પડશે નહીં....

જો સરકાર ઈચ્છતી હોત તો ચૂંટણી પહેલાં લોકપ્રિય બજેટ રજૂ કરી શકી હોત. ખાસ કરીને રામમંદિર પછી મધ્યમ વર્ગને આકર્ષવાની મોટી તક હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પૂરક બજેટમાં પણ રમી શક્યા હોત કારણ કે કોઈ કાયદો તેને પ્રતિબંધિત કરતો નથી. આ સરકારે 2019ના બજેટમાં રિબેટ આપી હતી. અગાઉ, 2014ના પૂરક બજેટમાં ચિદમ્બરમે વન રેન્ક વન પેન્શન, એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ, કાર-બાઈક-મોબાઈલ પર ટેક્સમાં ઘટાડો વગેરેની જાહેરાત કરી હતી. પરંતુ મોદી સરકારે આ રસ્તો પસંદ કર્યો નથી. 400 પ્લસના મિશન પર ચાલી રહેલી ભાજપે અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ સ્પષ્ટ કહ્યું કે પ્રત્યક્ષ અને પરોક્ષ કર પહેલાંની જેમ જ રહેશે.

હા નિર્મલાએ ચોક્કસ અમારો આભાર માન્યો. તેઓ કહે છે કે, કરદાતાઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. અમે તેમને માન આપીએ છીએ. સરકારે ટેક્સના દરને તર્કસંગત બનાવ્યા છે. નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ જવાબદારી નથી.

થેન્ક્સ સિવાય કંઈ નથી....

પરંતુ વચગાળાના આ બજેટમાં આભાર સિવાય બીજું કંઈ નથી. હોય પણ કેવી રીતે... લાભાર્થી અને સર્વસમાવેશક વિકાસના બજેટમાં સરકાર માટે ટેક્સમાંથી આવક જરૂરી છે. રાજકોષીય ખાધ જોઈ તમે કુલ જીડીપીના 5.8 ટકા. એટલે કે, જો આપણે લોનને છોડી દઈએ તો આવકની તુલનામાં ખર્ચ અને કમાણી વચ્ચે કેટલો મોટો તફાવત છે. આવતા વર્ષે પણ સરકાર લગભગ 14 લાખ કરોડ રૂપિયાનું ઉધાર લેશે. તો જ ગરીબ કલ્યાણ અન્ન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ થશે અને તેની સાથે અર્થવ્યવસ્થાને ફાસ્ટ ટ્રેક પર લાવવાનો ખર્ચ પણ પૂર્ણ થશે. પીએમ મોદી દેશના વિકાસ માટે જરૂરી રસ્તાઓ, બંદરો, શાળા-કોલેજો, સંરક્ષણ, ઉત્પાદન પર સતત ખર્ચ વધારી રહ્યા છે. આ બજેટમાં પણ મૂડી ખર્ચ 11 ટકા વધારીને 11 લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યો છે.

નિર્મલા સીતારમણે બજેટમાં એક પંક્તિ કહી. આ બજેટના સાર જેવું છે - દરેકના પ્રયાસોથી, આત્મનિર્ભર ભારત પંચપ્રાણ સાથે અમૃતકાલ તરફ આગળ વધી રહ્યું છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન પછી એટલે કે રિસર્ચ પર ફોકસ જેવા ક્ષેત્રો એવા છે જે આપણા દેશનું ભવિષ્ય અને સમગ્ર વિશ્વમાં આપણું સ્થાન નક્કી કરવામાં મદદ કરશે. દૂરગામી વિચારસરણીના કારણે લોકો રાજકીય પીચ પર લપસી ન જાય તેની પણ કાળજી બજેટમાં રાખવામાં આવી છે. 

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા પહેલા અને દરમિયાન OBC કાર્ડ અને જાતિની વસ્તી ગણતરી પર ધ્યાન આપી રહ્યા છે. પીએમ મોદીએ આ ગેમ પલટી નાખી છે. તેનો પડછાયો બજેટમાં પણ જોવા મળ્યો જ્યારે નિર્મલાએ પુનરોચ્ચાર કર્યો કે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છે - ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો. લાખપતિ દીદીઓ પર ભાર મૂકવાની સાથે મહિલા શક્તિ અથવા જેન્ડર બજેટ પર ફોકસ ચાલુ રહેશે. આ ચાર શ્રેણીઓ પર ફોકસની સાથે રામ મય માહોલે મોદી સરકારનો આત્મવિશ્વાસ એટલો વધાર્યો છે કે બજેટમાં તમારા અને અમારા માટે ઘૂઘરાનો અવકાશ રહ્યો નથી...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news