બંગાળમાં બબાલ, મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક, પોલીસની ગાડીમાં આગ, પથ્થરમારો

કોલકત્તા સિવાય પણ બંગાળના ઘણા જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ જોરદાર પ્રદર્શન કરી રહ્યાં છે. મમતા સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ રસ્તા પર ઉતર્યા છે. માહોલ હિંસક થઈ ગયો છે. 

બંગાળમાં બબાલ, મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક, પોલીસની ગાડીમાં આગ, પથ્થરમારો

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ સચિવાલય ચલોનો નારો આપનારી ભારતીય જનતા પાર્ટીએ રાજધાની કોલકત્તામાં જોરદાર પ્રદર્શન કર્યું છે. કોલકત્તામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને પોલીસે તેમને સચિવાલય જતા રોકવા માટે બેરિકેડિંગ કર્યું છે. તેનો વિરોધ કરતા ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર થઈ ગયા અને અંતમાં મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો. બડા બાજાર પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડીને પણ આગના હવાલે કરી દેવાના સમાચાર છે. તેના જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો. કોલકત્તા સિવાય પણ બંગાળના અન્ય જિલ્લામાં ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. મમતા સરકારમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતા ભાજપ રસ્તા પર ઉતર્યું છે. એટલું જ નહીં હજારોની સંખ્યામાં રાજ્યભરમાંથી કાર્યકર્તાઓ કોલકત્તા પહોંચી રહ્યાં છે. 

પાનાગઢ રેલવે સ્ટેશન પર 4 ભાજપ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે તેને આંદોલન કરતા રોકવામાં આવી રહ્યાં છે. ભાજપના નાબન્ના માર્ચ માટે નિકળેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ખુદ શુભેંદુ અધિકારી પણ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે રેલવે સ્ટેશનો બહાર પણ બેરિકેડિંગ કર્યું છે, જેથી કોલકત્તા આવનારા કાર્યકર્તાઓને આગળ વધતા રોકી શકાય. રાનીગંજ રેલવે સ્ટેશન બહાર ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. હાવડામાં પણ માહોલ ગરમ છે અને ભાજપના કાર્યકર્તાઓએ કેટલાક સ્થળો પર પથ્થરમારો કર્યો છે. 

— ANI (@ANI) September 13, 2022

ભાજપ નેતા અભિજીત દત્તાએ કહ્યુ કે પાર્ટીના 20 નેતાઓને દુર્ગાપુર રેલવે સ્ટેશનની પાસે પોલીસે રોક્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અમને રોકી રહી છે, પરંતુ અમે અલગ-અલગ રસ્તાનો ઉપયોગ કરી નિકળી રહ્યાં છીએ. ભાજપના પ્રદેશભરના કાર્યકર્તાઓએ કોલકત્તા જવા માટે 7 ટ્રેનોમાં બુકિંગ કર્યું હતું. નોંધનીય છે કે બંગાળ પોલીસે સોમવારે રાતથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રાખી છે. દરેક ચેક પોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટીએમસીનું કહેવું છે કે ભાજપે પૈસા આપીને લોકોને કોલકત્તા બોલાવ્યા છે અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

બંગાળ ભાજપે કહ્યું- અમે લાઠીઓ સામે પણ મજબૂત
આ વચ્ચે બંગાળ ભાજપે ટ્વીટ કરી કહ્યું- પોલીસની ક્રૂરતાને નજરઅંદાજ કરતા અને પાણીના મારા વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ કોલકત્તાના રસ્તા પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભા છે. હાલ પોલીસ અને પ્રદર્શનકારીઓમાંથી કોઈ પાછળ હટવા તૈયાર નથી. પોલીસનો દાવો છે કે કેટલાક લોકોને પથ્થરમારામાં ઈજા થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news