IPL 2021: Virat Kohli નો વધુ એક ચોંકાવનારો નિર્ણય, હવે છોડશે RCB ની કમાન


વિશ્વના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ હવે આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આગેવાની છોડવાનો નિર્ણય કર્યો છે. 

IPL 2021: Virat Kohli નો વધુ એક ચોંકાવનારો નિર્ણય, હવે છોડશે RCB ની કમાન

નવી દિલ્હીઃ વિરાટ કોહલી (Virat Kohli) એ હાલમાં આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે વિરાટ કોહલીએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર  (RCB) ની કેપ્ટનશિપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે. રવિવારે આઈપીએલ ફ્રેન્ચાઇઝી આરસીબીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. વિરાટ કોહલી 2013થી આઈપીએલમાં આરસીબીની કમાન સંભાળી રહ્યો છે.

કોહલીએ કહ્યુ- આરબીસીના કેપ્ટનના રૂપમાં આ મારી છેલ્લી આઈપીએલ હશે. મેં મારી છેલ્લી મેચ સુધી આરસીબીનો ખેલાડી બન્યો રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મારૂ સમર્થન કરવા માટે હું આરસીબીના તમામ ફેન્સનો આભાર માનુ છું. 

“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM

— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021

આરસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું- વિરા કોહલીએ આઈપીએલ-2021 બાદ કેપ્ટનના રૂપમાં પોતાની ભૂમિકાથી હટવાનો નિર્ણય કર્યો છે. કોહલી, ફ્રેન્ચાઇઝીના સૌથી શાનદાર ખેલાડીઓમાંથી એક છે, અને તે ટીમનો સભ્ય બન્યો રહેશે. 

આરસીબીના સીઈઓ પ્રથમેશ મિશ્રાએ કહ્યુ- વિરાટ કોહલી શાનદાર ક્રિકેટર છે. તેનું નેતૃત્વ કૌશલ્ય અભૂતપૂર્વ રહ્યુ છે. અમે તેના આ નિર્ણયનું સન્માન અને સમર્થન કરીએ છીએ અને વિરાટનો આરસીબી નેતૃત્વ સમૂહમાં તેના અવિશ્વસનીય યોગદાન માટે આભાર માનીએ છીએ. 

આરસીબીના કેપ્ટન તરીકે કેવો રહ્યો છે કોહલીનો રેકોર્ડ?
કોહલીનો કેપ્ટન તરીકે આરસીબી માટે રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે. તે 2013થી ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી એક ટ્રોફી અપાવી શક્યો નથી. 2016 બાદ આરસીબીની ટીમે પાછલા વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું હતું. 2017 અને 2019માં તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે અને 2018માં ટીમ છઠ્ઠા સ્થાને રહી હતી. પરંતુ બેટ્સમેન તરીકે કોહલી માટે 2016ની સીઝન શાનદાર રહી હતી. આ દરમિયાન તેણે 973 રન બનાવ્યા હતા. ત્યારબાદ માત્ર 2018માં કોહલી 500 રનના આંકડાને પાર પહોંચ્યો હતો. આઈપીએલ 2021ની સીઝનની પ્રથમ સાત મેચમાં કોહલીની એવરેજ 33 રન રહી છે, જેમાં માત્ર એક અડધી સદી સામેલ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news