નિવૃતી પર વિચાર કરી રહ્યો છે યુવરાજ સિંહ, માગી શકે છે ખાનગી ટી20 લીગમાં રમવાની મંજૂરી

માનવામાં આવી રહ્યું છે કે યુવરાજે સ્વીકાર કરી લીધો છે કે હવે તે ભારત તરફથી રમે તેવી સંભાવના નથી. હકીકતમાં તે આઈસીસી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. 
 

નિવૃતી પર વિચાર કરી રહ્યો છે યુવરાજ સિંહ, માગી શકે છે ખાનગી ટી20 લીગમાં રમવાની મંજૂરી

નવી દિલ્હીઃ સીમિત ઓવરોના ભારતના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને આઈસીસીથી સ્વીકૃત ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબના ડાબા હાથના આ બેટ્સમેન બીસીસીઆઈની મંજૂરી મળ્યા બાદ જ અંતિમ નિર્ણય કરશે. માનવામાં આવી રહ્યું છે કે, યુવરાજે સ્વીકાર કરી લીધો કે હવે તેની ભારત તરફથી રમવાની સંભાવના નથી. 

આ મામલાની જાણકારી રાખતા બીસીસીઆઈના સૂત્રએ રવિવારે જણાવ્યું, 'યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણી ક્રિકેટથી નિવૃતી વિશે વિચારી રહ્યો છે.' તે બીસીસીઆઈ સાથે વાત કરી અને જીટી20 (કેનેડા), આયર્લેન્ડમાં યૂરો ટી20  સ્લૈમ અને હોલેન્ડમાં રમવા પર વધુ સ્પષ્ટતા માગવાની આશા છે, કારણ કે તેની પાસે રજૂઆત છે. 

ઇરફાન પઠાણે હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં પોતાનું નામ આપ્યું હતું, પરંતુ તે હજુ પ્રથમ શ્રેણી ખેલાડી છે અને તેણે બીસીસીઆઈ પાસે મંજૂરી લીધી નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું, ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પરત લેવાનું કહેવામાં આવ્યું. જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમો જોવા પડશે. જો તે પ્રથમ શ્રેણી ક્રિકેટથી સંન્યાસ પણ લે છે તો પણ બીસીસીઆઈ અંતર્ગત નોંધાયેલ સક્રિય ટી20 ખેલાડી હોઈ શકે છે. 

યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ તરફથી રમ્યો પરંતુ તેને વધુ તક ન મળી અને સંભવતઃ આ કારણ છે કે તે પોતાની ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. આ વચ્ચે લોકોનું માનવું છે કે જો ઝહીર ખાન અને વીરૂ દુબઈમાં ટી10 લીગમાં ભાગ લઈ શકે છે તો ફરી યુવરાજને મંજૂરી કેમ ન મળી શકે. 

બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, ટી10ને ભલે આઈસીસીની મંજૂરી મળી હોય પરંતુ હજુપણ તે સ્વીકાર્ય ફોર્મેટ નથી. પરંતુ આગળ વધતા જ્યારે પણ ખેલાડીઓનો સંઘ આકાર લેશે ત્યારે નિવૃતી લઈ ચુકેલા ખેલાડીઓના મામલા વિચાર માટે આવી શકે છે. તેઓ પરંતુ સૈદ્ધાંતિક રૂપથી સહમત છે કે નિવૃતી લઈ ચુકેલા ખેલાડીઓની રજૂઆત મળતા બિગ બેશ, સીપીએલ કે બીપીએલમાં રમવાની મંજૂરી મળવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news