કોરોના અપડેટ News

ઓમિક્રોન છે કે નહિ તેના ટેસ્ટીંગની કીટ આવી ગઈ, ગણતરીના કલાકમાં મળશે પરિણામ
હવે કલાકોમાં જ ઓમિક્રોન છે કે નહીં તે જાણી શકાશે..ગુજરાત બાયોટેક લેબે એક ખાસ કિટ વીકસાવી છે. જેનાથી હવે 5થી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટ અંગે જાણી શકાશે. હાલમાં ઓમિક્રોન છે કે નહીં તેનું પરિણામ ૩ દિવસે આવે છે. પરંતુ આ નવી કિટથી ટેસ્ટિંગ ઝડપી થશે. ઓમિક્રોનના ઝડપી ટેસ્ટિંગ માટે ગુજરાત બાયોટેક નવી કિટને ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાઈ છે. હાલ દુનિયાભરમાં ઓમિક્રોનની આફતની દહેશત જોવા મળી રહી છે. ત્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેના 3થી 4 દિવસ બાદ તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની જાણ થતી હોય છે. પરંતુ હવે નવી કિટીના લીધે કલાકોની અંદરમાં જ સંક્રમણની જાણ થઈ શકશે. જેથી વહેલી સારવાર પણ થશે.
Dec 25,2021, 9:45 AM IST
ગુરુવારે મોડી રાત્રે ગુજરાત સરકારે કર્યો મહત્વનો આદેશ, કોરોનામાં માત્ર 10 દિવસમાં સહ
Nov 26,2021, 8:03 AM IST
ભાદરવી પૂનમ વગર અંબાજીમાં મેળા જેવો માહોલ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ અંબાજી (Ambaji) માં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે, અને મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રિ માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. સંઘના 151 જેટલા પદયાત્રીઓ દ્વારા એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા સમગ્ર લીમખેડા વિસ્તારના આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં મા અંબેને તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે. 
Sep 5,2021, 9:43 AM IST

Trending news