GUJARAT CORONA UPDATE: 10150 નવા કેસ, 6096 દર્દી રિકવર, 8 નાગરિકોનાં મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા. આજે 6,096 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં 8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ ઘટીને 92.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર હાલમાં કોરોનાના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,38,536 રસીના ડોઝ અપાયા હતા. 

GUJARAT CORONA UPDATE: 10150 નવા કેસ, 6096 દર્દી રિકવર, 8 નાગરિકોનાં મોત

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા. આજે 6,096 દર્દીઓ સાજા થયા અત્યાર સુધીમાં 8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ ઘટીને 92.04 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર હાલમાં કોરોનાના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,38,536 રસીના ડોઝ અપાયા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 63610 એક્ટિવ કેસ છે. જે પૈકી 83 નાગરિકો વેન્ટિલેટર પર છે. 63527 નાગરિકો સ્ટેબલ છે. 8,52,471 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10159 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 8 નાગરિકોનાં મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 2 અને તાપીમાં 1 નાગરિકનું મોત થયું છે. 

No description available.
(ગુજરાતમાં નવા આવેલા કેસ, કુલ મોત અને રિકવરીનો આંકડો)

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ 124 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2079 ને રસીનો પ્રથમ 9108 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21235ને પ્રથમ24619 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 66648 રસીના ડોઝ અપાયા હતા. આ ઉપરાંત 14716 રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 1,38,536 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 9,47,98,818 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news