ખેડૂતોને નુકશાન News

કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત
ચોમાસામાં પાક નિષ્ફળ ગયા બાદ હવે કેનાલોમાં સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. સિંચાઈ વિભાગ પાણી ન આપતું હોવાથી હવે રવિ પાક નિષ્ફળ જાય તેવો રાજ્યના ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ પંથકના ખેડૂતોની સિંચાઈના પાણી વગર હાલત કફોડી બનતી જાય છે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા ત્યાર બાદ તીડોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હવે વાવ પંથકના ખેડૂતોએ ફરીથી મોંઘા બિયારણ લાવીને પોતાના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કર્યું છે પરતું વાવની નર્મદાની બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે બાલુત્રી સહિત 4 ગામના ખેડૂતોની મુસીબતોમાં વધારો થયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર તેમને પાણી નહી આપે અને તેમનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને આત્મહત્યા કરવી પડશે.
Jan 20,2020, 10:40 AM IST
તીડનો આતંક કેડો મૂકતા નથી, બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડના ધામા જોવા
Jan 18,2020, 11:26 AM IST
ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક વરસાદી આફત, હવામાન ખાતાની આજે મોટી આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.
Jan 13,2020, 8:45 AM IST
કોંગ્રેસનો સણસણતો આરોપ, ગુજરાત સરકારે પાક વીમામાં 25-50 હજાર કરોડનું કૌભાં
Dec 31,2019, 13:47 PM IST

Trending news