પાણીપત News

Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, સરકારના કાને ક્યાં અથડાય છે
પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. 
Jun 4,2019, 8:37 AM IST

Trending news