4 જુલાઈના સમાચાર News

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. 
Jul 4,2020, 16:07 PM IST
ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવ
Jul 4,2020, 14:33 PM IST
મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે
સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા વેપારી એસોસિયેશને મોટો નિર્ણય લીધો છે. સોમવારથી મોરબી શહેરમાં કરિયાણાના જથ્થા બંધ વેપારીઓ પોતાની દુકાનો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખશે. 3 વાગ્યા પછી કોઇ વેપારી દુકાનો ખુલ્લી રાખશે તો ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ તેને દંડ કરશે તેવો એસોસિયેશને નિર્ણય લેવાયો છે. તેને ધ ગ્રેઇન એન્ડ સુગર એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ગઇ કાલ સુધી કોરોનાના કુલ મળીને 41 કેસ નોંધાયા છે. જેથી વેપારીઓએ સતર્કતા દાખવીને સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. 
Jul 4,2020, 13:15 PM IST
 સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન
સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 
Jul 4,2020, 15:30 PM IST
ગુજરાત : વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના
Jul 4,2020, 11:39 AM IST
ચીનના પેટમાં તેલ રેડાય તેવું કામ ભારત અને જાપાને સાથે મળીને કર્યું
Jul 4,2020, 9:19 AM IST

Trending news