Yes Bank ડૂબવાની દર્દભરી કહાણી, સાંભળો શેર બજારની જુબાની

તમારા મનમાંથી એક પ્રશ્ન ગત 24 કલાકથી ચાલી રહ્યો હશે. આખરે આજે જ રિઝર્વ બેંક (RBI)એ કેમ યસ બેંક  (Yes Bank)ના કામકાજ પર પ્રતિબંધ લગાવ્યો? જો તમે આર્થિક સમાચારોની થોડી પણ જાણકારી રાખો છો તો યસ બેંક બંધ થવાની સળવળાટ ગત કેટલાક મહિનાથી ચાલી રહી છે.

Yes Bank ડૂબવાની દર્દભરી કહાણી, સાંભળો શેર બજારની જુબાની

નવી દિલ્હી: તમારા મનમાંથી એક પ્રશ્ન ગત 24 કલાકથી ચાલી રહ્યો હશે. આખરે આજે જ રિઝર્વ બેંક (RBI)એ કેમ યસ બેંક  (Yes Bank)ના કામકાજ પર પ્રતિબંધ લગાવ્યો? જો તમે આર્થિક સમાચારોની થોડી પણ જાણકારી રાખો છો તો યસ બેંક બંધ થવાની સળવળાટ ગત કેટલાક મહિનાથી ચાલી રહી છે. હવે પ્રશ્ન ઉભો થયો છે કે આખરે આમ કેમ થયું ગત થોડા દિવસોની રિઝર્વ બેંકને ઉતાવળમાં યસ બેંક પર મુશ્કેલી આવી પડી. અમારી પાસેથી જાણો સરળ ભાષામાં બેંક પર પ્રતિબંધ લાગવાનું કારણ... 

શેર બજાર સૌથી મુખ્ય કારણ
જાણકારોનું કહેવું છે કે યસ બેંક શરૂઆતના દિવસોમાં ખૂબ ઝડપથી બજારમાં ઉભરી. પરંતુ બેંકમાં તાળા લાગવાની સંભાવના શેર બજારમાં સ્ટોક તૂટવાનું શરૂ થયું. 2008માં યસ બેંક શેર બજારમાં ખૂબ મજબૂતી સાથે ઉભું હતું. યસ બેંક માટે બે વર્ષ પહેલાં 10 ઓગસ્ટ, 2018 ખૂબ મહત્વપૂર્ણ છે. આ એ જ દિવસ છે જ્યારે એક શેરની કિંમત 393 રૂપિયાની ઉંચાઇ સુધી પહોંચી. પરંતુ ઠીક ત્યારબાદ શેર તૂટવાનું શરૂ થયું. અને બેંક સ્થિતિ એટલી નબળી થઇ કે રોકાણકારોએ બેંકના શેર વેચવાનું શરૂ કરી દીધું. 5 માર્ચ 2020ના રોજ યસ બેંકના એક શેરના ભાવ 2008ના મુકાબલે 95 ટકા ઘટીને 20 રૂપિયાથી ઓછો થઇ ગયો. જાણકારો કહી રહ્યા છે કે આરબીઆઇના હસ્તક્ષેપનું મુખ્ય કારણ આ રહ્યું. 

બીએસઇનો પ્રશ્ન પૂછવો બીજું કારણ
એક અન્ય જાણકાર જણાવે છે કે ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)એ યસ બેંક પાસેથી પાંચ માર્ચ 2020ના રોજ સ્પષ્ટીકરણ માંગ્યું હતું કે સરકારે એસબીઆઇની યસ બેંકની ભાગીદારી ખરીદવાની યોજનાને મંજૂરી આપી છે કે નહી? આ સમાચાર બાદ યસ બેંકના વધેલા રોકાણકારોએ પણ પોતાનો સ્ટોક વેચવાનું શરૂ કરી દીધું. સરકારને ડર હતો કે કોઇ વેચાવલીના લીધે યસ બેંકને બંધ કરવી ન પડે. સરકારના હસ્તક્ષેપને પણ એક કારણ જણાવવામાં આવી રહ્યું છે. 

RBI એ કેમ લગાવી પાબંધી?
સરળ શબ્દોમાં કહીએ તો સરકાર પણ આ હાલતમાં યસ બેંકને ડુબવાથી બચાવવા માંગે છે. તેના માટે સરકારે બેંક પર આ પાબંધીઓ લગાવી છે. આરબીઆઇએ કહ્યું કે સાર્વજનિક હિત અને બેંકના જમાકર્તાઓના હિતને ધ્યાનમાં રાખતાં બેકિંગ નિયમ કાનૂન 1949ની કલમ 45 હેઠળ પાબંધીઓ લગાવવામાં આવી છે. આ ઉપરાંત અમારી પાસે કોઇ વિકલ્પ નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેંકના મેનેજમેન્ટે આ વાતના સંકેત આપ્યા હતા કે તે વિભિન્ન રોકાણકારો સાથે વાત થઇ રહી છે કે તેમાં સફળતા મળવાની આશા છે, પરંતુ વિભિન્ન કારણોથી તેમણે બેંકમાં કોઇ પૂંજી નાખી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news