TMKOC: તારક મહેતાના 'દયાબેન'ને ગળાનું કેન્સર છે? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યું

Tarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા સિરિયલમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા દયાભાભી? દયાબેન ઉર્ફે દિશા વાકાણી કેમ આટલાં લાંબા સમયથી સિરિયલથી દૂર છે? શું દિશા વાકાણીને ગળાનું કેન્સર થયાની વાત સાચી છે? તારક મહેતાના દયાબેનને કેન્સર અંગે દિશા વાકાણીના ભાઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે.

TMKOC: તારક મહેતાના 'દયાબેન'ને ગળાનું કેન્સર છે? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યું

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી એટલેકે, દિશા વાકાણી વર્ષ 2017થી શોમાંથી ગાયબ છે. હવે અચાનક તેઓ શો માંથી કેમ ગાયબ થઈ ગયા? આના પાછળ શું કારણ છે તે અત્યાર સુધી સામે આવ્યું નથી. એવામાં એક સમાચાર સામે આવ્યાં છેકે, દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઈમ દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે એવી વાત ચારેય કોર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેને કારણે તેમના ચાહકો પણ ચિંતામા સરી પડ્યાં છે. ઘણાં બધા ચાહકો કોઈકને કોઈક રીતે દિશા વાકાણીનો સંપર્ક કરીને તેમની ખબર પુછવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ત્યારે ઝી24કલાકની ટીમે આ અંગે દિશા વાકાણીના ભાઈ સાથે સીધી વાત કરી. દયાબેન ઉર્ફે દિશા વાકાણીના સગા ભાઈ તારક મહેતા સિરિયલના સુંદર વીરા ઉર્ફે મુયર વાકાણીએ જણાવ્યું કે, દિશાબેન બિલકુલ ઠીક છે. ઈશ્વરની કૃપા છે. લોકો ખોટો અફવા ફેલાવી રહ્યાં છે. બેન તો પોતાના પરિવાર સાથે મુંબઈમાં મજાથી રહે છે. ઝી24 કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં મયુર વાકાણીએ વધુમાં જણાવ્યુંકે, મારા દિશાબેન સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ પોતાના પરિવાર સાથે ખુબ આનંદથી સમય પસાર કરી રહ્યાં છે. ગળાના કેન્સર અંગેના વાત સાવ ખોટી છે, આ વાત એક અફવા છે. ચાહકો આવી અફવા પર ધ્યાન ન આપે. હું કેન્સર અંગેની અફવાને રદિયો આપું છું. બીજી તરફ આ સીરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ પણ જણાવ્યુંકે, તારક મહેતા શો અંગે દર વખતે માર્કેટમાં કંઈકને કંઈક નવી વાતો વહેતી રહે છે. આ વખતે દિશા અંગે ચાલેલી વાત પણ એક અફવા છે એના પર ધ્યાન ન આપો.

દિશા વાકાણી જ્યારથી આ ટીવી શો છોડીને ગયા છે ત્યારથી હજુ સુધી આ શો ને એવા કલાકાર પરત મળ્યાં નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લાં 14 વર્ષથી ગુજરાત સહિત દેશ અને દુનિયાભરમાં લોકોને મનોરંજન પુરી પાડતી આવી છે.આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 8:30 વાગ્યે SAB ટીવી પર પ્રસારિત થાય છે. આ સીરિયલના તમામ કલાકારોએ આ શો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી હતી, પરંતુ દિશાએ શો છોડ્યા બાદ શોના નિર્માતા અસિત મોદીને TMKOCમાં દયાબેનનો રોલ કરવા માટે કોઈ ચહેરો મળ્યો નથી એ પણ એ વાત પણ નવાઈ પમાડે તેવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news