'યે હૈં મોહબ્બતેં'ના કરણ પટેલ અને પત્નીને મળ્યું જીવનભર ન ભુલાય એવું દુ:ખ

હાલમાં ટેલિવૂડમાં આ બનાવની જ ચર્ચા છે

'યે હૈં મોહબ્બતેં'ના કરણ પટેલ અને પત્નીને મળ્યું જીવનભર ન ભુલાય એવું દુ:ખ

નવી દિલ્હી : ટીવી સિરિયલ 'યે હૈં મોહબ્બતેં'માં રમણ ભલ્લાનો રોલ ભજવનાર એક્ટર કરણ પટેલની પત્ની અને એક્ટ્રેસ અંકિતા ભાર્ગવને મિસકેરેજ થઈ ગયું હોવાથી હાલમાં આ દંપતિ ભયંકર આઘાતમાં છે. ટાઇમ્સ ઓફ ઇ્ન્ડિયાને અંકિતાના પિતા અભય ભાર્ગવે આ વાતની જાણકારી આપી છે. અભયે મિસકેરેજની સ્પષ્ટતા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે અંકિતા હાલ ઠીક છે. જોકે, તેણે સમગ્ર મામલાની કોઈ વિશેષ જાણકારી આપવાની ના પાડી હતી.

રિપોર્ટ્સ અનુસાર અંકિતા અને કરણે મુંબઈમાં એક ટેલિવિઝન એવોર્ડ્સ શો એટેન્ડ કર્યો હતો. આ શો પછી જ અંકિતાને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કરણ અને અંકિતાએ ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. કરણે મે મહિનામાં જ જાહેરાત કરી હતી કે તેની પત્ની પ્રેગ્નન્ટ છે અને તેઓ નવેમ્બર મહિનામાં માતા-પિતા બનવાની અપેક્ષા રાખતા હતા. 

કરણ અને અંકિતાની મુલાકાત અભય ભાર્ગવના ઘરે એક પાર્ટી થઈ હતી. અભય ભાર્ગવે ‘યે હૈ મહોબ્બતેં’માં કરણના ઓનસ્ક્રીન સસરાનો રોલ કર્યો છે. આ દરમિયાન કરણના કો સ્ટાર અને એક્ટર અલી ગોનીએ કરણ અને અંકિતાના લગ્ન વિશે વાત કરી હતી. કરણે એકતા કપૂરની સીરિયલ ‘કહાની ઘર ઘર કી’થી પોતાના ટીવી કરિયરની શરુઆત કરી હતી. આ શો સાથે તે આઠ વર્ષ જોડાયેલો રહ્યો હતો. કરણે ‘કસમ સે’, ‘કરમ અપના અપના’, ‘કસ્તૂરી’ અને ‘કાવ્યાંજલિ’ જેવા શોમાં પણ એક્ટિંગ કરી છે. હાલ તે ‘યે હૈ મહોબ્બતેં’માં દિવ્યાંકા ત્રિપાઠી સાથે જોવા મળે છે. તેની પત્ની અંકિતા પણ ટેલિવિઝન એક્ટ્રેસ છે અને ‘દેખા એક ખ્વાબ’ તેમજ ‘રિપોર્ટ્સ’ જેવા ટીવી શોઝમાં જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news