શા માટે નેહાએ છોડ્યો તારક મેહતા શો? સામે આવ્યું મોટું કારણ


પહેલા વાત હતી કે નેહાએ આ શો કોવિડ-19ના ખતરાને જોતા છોડ્યો. પરંતુ હવે નવો રિપોર્ટ્સ સામે આવ્યો કે નેહા અને પ્રોડક્શન વચ્ચે કંઇક વિવાજ ચાલી રહ્યો હતો, તેથી અભિનેત્રાએ શો છોડવાનો નિર્ણય કર્યો.

શા માટે નેહાએ છોડ્યો તારક મેહતા શો? સામે આવ્યું મોટું કારણ

મુંબઈઃ તારક મેહતાના ઉલ્ટા ચશ્મા શોમાં 12 વર્ષથી અંજલિ મેહતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નેહા મેહતાએ હવે આ શો છોડી દીધો છે. તેની જગ્યાએ સુનૈના ફૌજદાર હવે શોમાં અંજલિની ભૂમિકા નિભાવશે. શો છોડવાથી નેહાના ફેન્સ દુખી છે. માહિતી મળી છે કે નેહાએ આ શો કોવિડ-19ના ખતરાને જોતા છોડ્યો છે. હવે નવો રિપોર્ટ સામે આવ્યો કે નેહા અને પ્રોડક્શન વચ્ચે કંઇક વિવાદ ચાલી રહ્યો હતો, તેથી અભિનેત્રીએ શોને અલવિદા કહ્યું છે. 

કેમ છોડ્યો નેહાએ તારક મેહતા શો?
પિંકવિલાએ સૂત્રોના હવાલાથી લખ્યું- નેહાએ પ્રોડક્શન સાથે વાત કરી હતી. તેણે આ વર્ષે ફેબ્રુઆરીની આસપાસ પ્રોડક્શન સાથે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ તેની ફરિયાદ પર ધ્યાન આપવામાં ન આવ્યું. લૉકડાઉન બાદ પણ કોઈ સમાધાન ન થયું તો તેણે પોતાની ઈમાનદારી બનાવી રાખવા માટે શોમાંથી બહાર નિકળવાનો નિર્ણય કર્યો હતો.

તો બીજીતરફ કહેવામાં આવી રહ્યું છે કે લૉકડાઉન બાદ નેહાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાં સુધી કે સુનૈના ફોજદાર પાસે કોન્ટ્રાક્ટ સહી કરાવતા પહેલા પણ નેહા સાથે વાત કરીને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ થયો, પરંતુ નેહા સાથે વાત થઈ શકી નહીં. 

EXCLUSIVE: રિયા ચક્રવર્તીએ ચોરી કર્યો હતો સુશાંતના ડેબિત કાર્ડનો પિન

પિંકવિલા સાથએ વાતચીતમાં નેહાએ કહ્યું, 'હું આસિત મોદીનો આદર કરુ છું. મને મારા ભગવાન પર વિશ્વાસ છે. તેથી હું કહી શકું કે, ક્યારેક ક્યારેક મૌન બોલે છે. મને તેમાં વિશ્વાસ છે. મારે એક સુંદર જીવન જીવવું છે અને મારા ચાહકો અને દુનિયા માટે સારૂ કામ કરવાનું જારી રાખવું છે. તો હું વિશ્વાસ રાખુ છું કે દરેક અંત એક સારી શરૂઆત લઈને આવે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news