Anand માં 3 દિવસમાં ત્રીજો આત્મહત્યાનો બનાવ, મળી આવી સ્યુસાઇડ નોટ

સ્થાનિકો અને અન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરકંકાસ અને પત્ની તેમજ પુત્રો સાથેના નાના મોટા ઝગડાથી કંટાળી મૃતકે જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Anand માં 3 દિવસમાં ત્રીજો આત્મહત્યાનો બનાવ, મળી આવી સ્યુસાઇડ નોટ

જપ્તવ્ય, આણંદ: આણંદ (Anand) માં ચાલુ સપ્તાહે આત્મહત્યા (Suicide) નો વધુ એક બનાવ નોંધાતા ચકચાર મચી છે. આણંદ (Anand)  સી.પી.પટેલ કોલેજ પાસેના પિતાના મકાનમાં એક પરણિત પુરુષે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા (Suicide) કરી લેતા વિસ્તારમાં સન્નાટો છવાયો છે.

શાંત લાગતા વ્યક્તિને શુ દુઃખ થયું કે તેને આત્મહત્યા કરી? તેવા પ્રશ્નો અને કારણોએ પરિવારજનો અને સગા વ્હાલાઓમાં મનને ઘેર્યું છે. આત્મહત્યા (Suicide) ની ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ સીપી પટેલ કોલેજ પાસે રહેતા જીતેન્દ્ર વિનોદભાઈ પ્રજાપતિએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા (Suicide) કરતા અરેરાટી વ્યાપી છે.આ ઘટનાની જાણ થતાં આણંદ પોલીસ (Anand Police) ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી આરંભી છે. 

હાલ પ્રાથમિક રીતે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. મૃતકના આત્મહત્યા (Suicide) ના કારણો બાબતે પણ ચોક્સાઈ પૂર્વક તપાસ હાથ ધરાઈ છે. જેમાં સ્યુસાઇડ નોટ (Suicide Note) મળી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હોવાની વિગતો સાંપડી છે.

સ્થાનિકો અને અન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરકંકાસ અને પત્ની તેમજ પુત્રો સાથેના નાના મોટા ઝગડાથી કંટાળી મૃતકે જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સાચું કારણ બહાર આવશે તેમ જણાઈ રહયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news