રાજકોટમાં હૈયુ કંપાવી મૂકે તેવી ઘટના, 5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળ્યું

રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી  5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

રાજકોટમાં હૈયુ કંપાવી મૂકે તેવી ઘટના, 5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળ્યું

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી  5 વર્ષના બાળકનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળકનું માથુ મળી આવતા લોકોમાં ફડક પણ પેસી છે. બાળકની ઓળખ અને તેના પરિવારજનો વિશે પોલીસે પુછપરછ ચાલુ કરી છે. બી ડીવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.

અંધ શ્રદ્ધામાં બાળકની બલી ચડાવી હોવાની શંકાથી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે શું અંધશ્રદ્ધાની આડમાં લેવાયો બાળકનો ભોગ ?શું બાળકની બલિ ચઢાવી માથુ ફેંકી દેવાયું ? આખરે કોણ છે માસુમના હત્યારા ? શા માટે માસુમની ચઢાવાઈ બલિ? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news