અમદાવાદમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવાન, હત્યાનું કારણ અકબંધ

વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર એક યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવાન, હત્યાનું કારણ અકબંધ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના રામોલમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર એક યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જોકે હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વસ્ત્રાલ આરટીઓ રોડ પર વિનાયક પાર્ક નજીક લોહીલુહાણ હાલતમાં એક યુવાન પડયો હોવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થ મારી કોઈએ હત્યા કરી છે. યુવાન વિનાયક પાર્કનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવાન પ્લાસ્ટિકના ભંગારનો ધંધો કરતો હતો. જો કે છેલ્લા ત્રણ દિવસથી તે ઘરે ગયો ન હતો. પોલીસે આ યુવાનના મિત્રવર્તુળમાં કોણ કોણ છે અને ગઈકાલ સુધી તે કોની સાથે ઈંડાની લારી પર બેઠો હતો તે લોકોની તપાસ હાથ ધરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે.

જોકે હાલમાંતો પોલીસે FSL અને ડૉગ સ્કોડની મદદ લઈને આરોપી સુધી પહોંચવાના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. તો અંગત અદાવત કે પૈસાની લેતી દેતીમાં હત્યા કરાયા હોવાની આશકા પોલીસ સેવી રહી છે. જેને લઇ મૃતક હીરાલાલ ખટીકના મિત્ર વર્તુળની પણ પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news