અમદાવાદઃ ઓઢવમાં પ્રિન્ટિંગ મશીનરીની કંપનીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત

અમદાવાદઃ ઓઢવમાં પ્રિન્ટિંગ મશીનરીની કંપનીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત

અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓઢવ ફાયર સ્ટેશનની સામે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીની અંદર અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા સેવાય રહી છે. અત્યાર સુધી ગુંગડામણથી ત્રણ લોકોના મોત થયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

શહેરના ઓઢવ ફાયર સ્ટેશનની સામે તથા પેટ્રોલપંપ પાછળ આવેલી એક કંપનીમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. થોડી વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આ કંપનીમાં પ્રિન્ટિંગ મશીનરીનો સામાન અને ગેસનો બાટલો ફાટતા આગે વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેટની 14 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news