સાધુને આવું ન શોભે : આનંદસાગર સ્વામીના વાણીવિલાસથી સંત સમાજમાં ભભૂક્યો રોષ, રાજકોટમાં ફરિયાદ નોંધાઈ

AnandSagar Swami Controversial Statement : પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં ભભૂક્યો રોષ... શ્રી પંચનામ જૂના અખાડાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીને હાંકી કાઢવા કરી માગ, તો કરણીસેનાએ કહ્યુ- માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું... આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં નોંધાઈ પોલીસ ફરિયાદ... બ્રહ્મ સમાજના લોકોએ સ્વામીના પોસ્ટરો સળગાવી નોંધાવાયો વિરોધ... 

સાધુને આવું ન શોભે : આનંદસાગર સ્વામીના વાણીવિલાસથી સંત સમાજમાં ભભૂક્યો રોષ, રાજકોટમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ :પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલું બેફાણ વાણીવિલાસ તેમને ભારે પડ્યું છે. ભગવાન શિવજી વિશે કરેલી ટિપ્પણીથી શિવ ભક્તો અને સનાતન સેવકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે આનંદસાગરે માફી માંગી છે. શ્રી પંચનામ જૂના અખાડાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીને હાંકી કાઢવા  માંગ કરી છે. તો કરણીસેનાએ કહ્યુ- માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું. તેમજ શિવ ભક્તોએ કહ્યું કે, પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા દેખાડવાનો આ હીન પ્રયાસ છે.સંતને આવી વાણી ક્યારેય ન શોભે. મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે. સાધુ આનંદ સાગરને ગાદી પરથી હટાવો. આવા સંત સંત કહેવાને લાયક નથી. સાધુ આનંદ સાગર જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ, ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બ્રહ્મ સમાજના લોકોએ રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી વિરોધ દર્શાવ્યો. 

આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું...
વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ... એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે.

રાજકોટમાં ફરિયાદ નોંધાઈ
ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બ્રહ્મ સમાજના લોકોએ રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી વિરોધ દર્શાવ્યો. બ્રહ્મદેવ સમાજ દ્વારા બી ડિવિઝન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવીને વિરોધ કરાયો. 

સોખડા મંદિરે કરી સ્પષ્ટતા 
પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગરદાસ સ્વામીના વાણી વિલાસનો મામલો હવે મંદિરો સુધી પહોંચ્યો છે. સોખડા હરિધામ મંદિરે આ સમગ્ર વિવાદથી છેડો ફાડ્યો છે. શ્રી હરી આશ્રમના લેટર પેડ પર પ્રેસ નોટ બહાર પાડી મંદિરે છેડો ફાડ્યો છે. હરિધામ સોખડા મંદિરના સેક્રેટરી જેએમ દવેએ જણાવ્યું કે, આનંદ સાગરદાસ સ્વામીએ મહાદેવ વિશે કરેલ અપમાનજનક ટિપ્પણીથી હરિધામ સોખડાને કોઈ સંબંધ નથી. આનંદ સાગરદાસ સ્વામી 21 એપ્રિલે પ્રબોધ સ્વામી સાથે મંદિર છોડીને ચાલ્યા ગયા હતા.

માર્કેટમાં રહેવા આવું કરે છે 
શ્રી પંચનામ જુના અખાડા મહામંડલેલેશ્વર અને શ્રી આપગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીની ટિપ્પણીઓ અંગે કહ્યું કે, આ વાણીવિલાસ કરવામાં આવ્યો છે. મારે આ સ્વામીને અને સોખડા સંપ્રદાયના લોકો હું કહું છું કે એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મુકવા જોઈએ. દેવોના દેવ છે મહાદેવ, સોખડા સંપ્રદાયને અમે કહેશું તો અમે કોઈના વિરોધી નથી. આ લોકો બજારમાં રહેવા માટે અનાબ શનાબ બોલે છે.

કરણી સેનાની ચીમકી
આનંદસાગર સ્વામીએ કરેલા નિવેદનથી સાધુ સમાજમા ભારે રોષ જોવા મળ્યો છે. રામેશ્વર બાપુએ આવા નિવેદનની નિંદા કરવી જોઈએ અને સાધુને આવુ નિવેદન ન શોભે તેવી વાત કહી. તો રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજાએ ચીમકી આપતા કહ્યું કે, આનંદસાગર સ્વામી જાહેરમાં સ્ટેજ પરથી માફી માંગે નહિ તો, ટીંગાટોળી કરવાની ફરજ પડશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news