નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત

Car Hit Marriage Procession : મહીસાગરના બાલાસિનોરમાં પૂરપાટ ઝડપે આવી રહેલા કાર લગ્નના વરઘોડામાં ઘૂસી...સિફ્ટ કારે 20થી 25 લોકોને લીધા અડફેટે..અકસ્માતમાં એક મહિલા સહિત 2ના મોત...
 

નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત

Car Hit Marriage Procession : મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત..બાલાસિનોર વગર વિસ્તારમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. નશેડી કારચાલકે કાર પૂરપાટમાં હંકારીને લગ્નના વરઘોડામાં નાચતા જાનૈયાઓ પર કાર ચલાવી હતી. કાર ચાલકે 20-25 જાનૈયાઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 26 થી વધુ જાનૈયાને ઈજા પહોંચી છે. તો 2 જાનૈયાના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. 

ગુરુવારે રાતે આ ધટના બની હતી. મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાલાસિનોરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બાલાસિનોર નગર વિસ્તારમાં એક પરિવારમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. ત્યારે લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડામાં સ્વીફ્ટ કારે 20 થી 25 લોકોને અડફેટે લીધા હતા. જેમાં તામમ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે જાનમાં અફરાતરફી છવાઈ હતી. ઇજાગ્રસ્તો ને બાલાસિનોરની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતમાં વરઘોડામાં નાચતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો અન્ય એક જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.  

અકસ્માત સર્જાતા બાલાસિનોર પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની કાયૅવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો. 

સાબરકાંઠામાં વરરાજાની ગાડીને અકસ્માત
તો બીજી તરફ, સાબરકાંઠામાં પણ વરરાજાની કારને અકસ્માત થયો હતો. અમદાવાદથી ઇડર જતી વરરાજાની ગાડીને અકસ્માત નડ્યો હતો. સલાલ-દલપુર પાસે અન્ય કારે વરરાજાની ગાડીને ટક્કર મારી હતી. જેમાં લગ્ન પ્રસંગની ગાડી ચાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલાઓને ગંભીર ઈજા પહોંચી હતી. તમામને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો વરરાજાને પણ ઈજા પહોંચી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news