મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને રસોઈ બનાવતા મહારાજ કોરોનાથી સંક્રમિત


મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને કોરોના વાયરસ પહોંચી ગયો છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને રસોઈ બનાવતા મહારાજ કોરોનાથી સંક્રમિત

ગાંધીનગરઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને કોરોના પહોંચી ગયો છે. મુખ્યમંત્રી નિવાસ્થાનમાં રસોઈ કામ કરતા રસોઈયાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો જણાતા તેણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. સંજય પંડ્યા નામના રસોઈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો છ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news