AAP માંથી વધુ એક વિકેટ પડશે! ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ધબાય નમ: નક્કી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો.

AAP માંથી વધુ એક વિકેટ પડશે! ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ધબાય નમ: નક્કી

ઝી ન્યૂઝ/અમદાવાદ: ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ધબાય નમ: નક્કી હોવાનું સ્થિતિ દેખાઈ રહી છે, એટલે કે AAP પાર્ટીમાંથી વધુ એક વિકેટ પડવાના અણસાર જોવા મળી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજીનામાની હેટ્રિક બાદ વધુ એક વિકેટ પડે તો નવાઈ નહીં. વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ પણ ગુજરાતી સિંગર વિજય સુવાળાના રસ્તે જશે કે કેમ? તેના વિશે ચર્ચા ચાલી રહી છે. યુવરાજસિંહ આપમાં રહીને પણ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવે છે. ત્યારે હાલ યુવરાજસિંહને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ પાર્ટીમાંથી રાજીનામું આપશે તે સૌથી પહેલા પ્રસારિત કર્યું હતું. વિજય સુવાળા ભાજપમાં જોડાશે એ સૌથી પહેલાં સમાચાર ZEE 24 કલાક પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ આપ પાર્ટીની હાલત ખુબ જ ખરાબ દેખાઈ રહી છે. ગાંધીનગરમાં હાર બાદ પણ ગર્જ્યા મેહ વરસ્યા નહીં. જાણવા મળી રહ્યું છે કે આપ પાર્ટીમાં સંગઠનના પાયા કમજોર, હજુ પણ વિકેટ ખરશે. હવે આપમાં ઈસુદાન અને ઈટાલિયા એકલા પડ્યા છે. ગુજરાતમાં AAPનો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાતમાંથી 35 IAS-IPS અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે પસંદગી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો.

સોમવારે ગુજરાતના રાજકારણમાં મોટો ઉલ્ટફેરનો દિવસ રહ્યો હતો. આમ આદમી પાર્ટી છોડી સૌથી પહેલા ગુજરાતી સિંગર વિજય સુવાળા ગયા પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહેશ સવાણીએ AAP માંથી રાજીનામું આપ્યાના થોડાક જ કલાકોમાં ભાજપમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું હતું. AAP છોડીને ભાજપમાં ભળેલા ગુજરાતી સિંગર નેતા વિજય સુવાળાએ મહેશ સવાણીને આમંત્રણ આપ્યું હતું. મહેશ સવાણીએ આપમાંથી રાજીનામું આપ્યાના 1 કલાક બાદ ભાજપનું આમંત્રણ મળતાં લોકોના મનમાં ભમી રહેલા વિચારો અને વાતો સાચી પડતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહેશ સવાણીને અન્ય કોઈ પાર્ટી પ્રસ્તાવ આપે એ પહેલાં જ ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ભમ્યા કરે છે કે શું મહેશ સવાણી પણ મોડા વહેલા ભાજપમાં જોડાશે? જોકે મહેશ સવાણી સાથેની વાતચીતમાં તેમને પોતાનો ઈરાદો તો સ્પષ્ટ કરી દીધો હતો કે હાલ હું લોકોની સેવા કરવા માંગું છું, પરંતુ ભવિષ્યમાં જરૂરિયાત જણાશે તો હું પાર્ટીમાં જોડાઈશ. સોમવારે પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથેના ઈન્ટરવ્યૂમાં તેમણે ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ વાતો કરી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કે ભવિષ્યમાં શું છે મહેશ સવાણીનો પ્લાન?

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે હવે હું આમ આદમી પાર્ટીમાં નથી, હવે હું સંપૂર્ણ સમય સમાજ સેવા કરીશ. વધુમાં જે સેવા કરતા હશે એમની સાથે જોડાઈશ. આમ આદમી પાર્ટીમાં મારી પાસે કોઈ હોદ્દો નહોતો, મને હોદ્દાનો કોઈ મોહ નથી, હું સેવાનો માણસ છું, સેવાના માધ્યમમાં નિયમિત કામ હતું તે કરીશ.. મને કોઈની બીક નથી કે નથી મને કોઈનું દબાણ...હું દબાણમાં રહી શકું એવો માણસ નથી. રાજીનામું આપતાં પહેલાં મેં કોઈ સાથે વાત કરી નથી. મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારે કોઈ વિશે ખરાબ બોલવું પડે. હું પાટીલ સાહેબને કે કોંગ્રેસના કોઈ નેતાને મળ્યો નથી. કોઈ પણ પક્ષ સ્વાભાવિક રીતે જ કોઈને છોડવા માગતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news