ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. સારા વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. 
ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 109.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. સારા વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. 

ભરૂચ ૧૪૬.૧૯ ટકા
છોટાઉદેપુર ૧૪૨.૭૨ ટકા
કચ્છ ૧૪૦.૯૯ ટકા
જામનગર ૧૩૭.૪૭ ટકા
બોટાદ ૧૩૫.૩૩ ટકા
મોરબી ૧૩૨.૧૫ ટકા
નર્મદા ૧૨૪.૫૭ ટકા
વલસાડ ૧૨૦.૨૦ ટકા
સુરત ૧૧૯.૯૨ ટકા
સુરેન્દ્રનગર ૧૧૭.૮૨ ટકા
પંચમહાલ ૧૧૫.૭૮ ટકા
રાજકોટ ૧૧૦.૨૩ ટકા
નવસારી ૧૧૦.૧૮ ટકા
ભાવનગર ૧૦૭.૬૧ ટકા
જૂનાગઢ ૧૦૬.૭૯ ટકા
આણંદ ૧૦૬.૪૯ ટકા
તાપી ૧૦૬.૪૫ ટકા
વડોદરા ૧૦૩.૩૪ ટકા
દેવભૂમિદ્વારકા ૧૦૨.૧૭ ટકા
ખેડા ૧૦૧.૩૫ ટકા

રાજ્યમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ થવાથી રાજ્યના 204 જળાશયોમાં પાણીનો સંગ્રહ 81.54 ટકા થયો છે. રાજ્યના 72 જળાશયો છલકાયા છે. 62 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે કે, 23 જળાશયો 5૦ થી 70 ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. 

રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. 

  • સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે. 
  • ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે. વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે. 
  • કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે. 
  • દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે. 
  • આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે. 
  • હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. 
  • ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે. 

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48.66 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 95.82 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87.15 ટકા, કચ્છના 20 જળાશયોમાં 75.37 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે તેવી માહિતી જળસંપત્તિ વિભાગ દ્વારા આપવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news