Gujarat Government Formation Updates : મોટા નેતાઓની નવા મંત્રીમંડળમાં એન્ટ્રી અંગે સસ્પેન્સ, હાર્દિક-અલ્પેશ-રાદડિયા અંગે જાણ ન કરાઈ

Gujarat CM Oath Ceremony : શપથવિધિ સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે

Gujarat Government Formation Updates : મોટા નેતાઓની નવા મંત્રીમંડળમાં એન્ટ્રી અંગે સસ્પેન્સ, હાર્દિક-અલ્પેશ-રાદડિયા અંગે જાણ ન કરાઈ

Gujarat Government Formation : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લેશે. આ રાજતિલક સમયે પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે શપથ પહેલા તમામ ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરાયું છે. આજે 20થી વધુ મંત્રીઓ શપથ લેશે, જેમાં હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર, ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓનું નામ નક્કી કરાયું છે. ત્યારે સાંજે 5 વાગ્યે યોજાશે નવી કેબિનેટની પ્રથમ બેઠક મળશે, જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી થશે. 

શપથવિધિ સમારોહનું આજનું શિડ્યુલ
10.30 કલાકે મંત્રી મંડળના સભ્યોની મુખ્યમંત્રી સાથે બેઠક
12 કલાકે હોટલ લીલામાં તમામ ધારાસભ્યોનું ભોજન
1.45 કલાકે પીએમ મોદી રાજભવનથી શપથ સ્થળે પહોંચશે
1.55 કલાકે રાજ્યપાલ પહોંચશે
2 વાગે મુખ્યમંત્રીના શપથ સાથે શપથવિધિ શરૂ થશે
16 મંત્રીઓ પણ શપથ લેશે
સાંજે 5 કલાકે પહેલી કેબિનેટ બેઠક મળશે
સાંજ સુધીમાં ખાતાઓની ફાળવણી થશે

અત્યાર સુધી જે નેતાઓના નામ નક્કી થયા છે તે જોતા લાગે છે કે કદાચ અડધોઅડધ મંત્રીનો રિપીટ કરવામાં શકે છે. તો કેટલાક જૂના ચહેરાંને બાદ કરતાં નવા ચહેરાંઓને સ્થાન મળી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રાજભવન ખાતે હાઈલેવલ બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રી મંડળની ચર્ચા થયા બાદ મંત્રી બનવાની શપથ માટે વિજેતા ધારાસભ્યોને ફોન કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યના 20થી વધુ ધારાસભ્યો લેશે મંત્રીપદના શપથ. હર્ષ  સંઘવી ,ઋષિકેશ પટેલ, કનુ દેસાઈને મંત્રી તરીકે શપથ લેવા માટે ફોન આવ્યો છે. મૂળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, જગદીશ પંચાલ મંત્રી પદના શપથ લેશે. 

નવા મંત્રીઓને ફોન થવાની શરૂઆત
ઋષિકેશ પટેલ, 
કનુભાઈ દેસાઈ
મુળુભાઈ બેરા
બળવંત સિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
જગદીશ પંચાલ
રાઘવજી પટેલ
પરસોતમ સોલંકી
ભાનુબેન બાબરીયા
બચુ ખાબડ
કુબેર ડીંડોર
મૂકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
હર્ષ સંઘવી
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ

વિધાનસભા અધ્યક્ષ તરીકે 3 નામ
તો વિધાનસભા અધ્યક્ષ તરીકે ત્રણ નામ ચર્ચામાં છે. શંકર ચૌધરી, રમણ વોરા અને ગણપત વસાવાનું નામ હાલ ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ચર્ચાઈ રહ્યાં છે.

મંત્રી મંડળમાં હજુ સુધી આ ધારાસભ્યોને જગ્યા નથી મળી 

શંકર ચૌધરી
જીતુ વાઘાણી
રમણલાલ વોરા 
જયેશ રાદડિયા 
અલ્પેશ ઠાકોર
 શંભુપ્રસાદ ટુંડીયા
પુર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુન સિંહ ચૌહાણ
મનીષા વકીલ
જીતુ ચૌધરી
વિનુ મોરડીયા

દેવગઢ બારિયાના વિજેતા ઉમેદવાર બચુ ખાબડને મંત્રી પદ માટે ફોન આવ્યો છે. બચુ ખાબડને મંત્રી તરીકે શપથ લેવા માટે મોડી રાત્રે ફોન આવતા તેઓે કહ્યું કે, જે વિભાગ મળશે તેમાં વિકાસના કામો કરીશ. તો બીજી તરફ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગરનું તેડું આવ્યું છે. મોડી રાત્રે વિજય શાહને ગાંધીનગર બોલાવાયા હતા. વડોદરામાંથી કોને મંત્રી મંડળમાં સ્થાન આપવું તે અંગે મંથન થયું હતું. જેમાં મનિષા વકીલ, બાલકૃષ્ણ શુક્લ, યોગેશ પટેલ, ચૈતન્ય દેસાઈના નામની ચર્ચા થઈ છે. 

રાજતિલક માટે ત્રણ સ્ટેજ બનાવાયા
સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા સ્ટેજ પર મુખ્યમંત્રી અને શપથ લેનારા મંત્રીઓ સ્થાન ગ્રહણ કરશે. તો બીજા સ્ટેજ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહેશે...જ્યારે ત્રીજા સ્ટેજ પર સાધુ-સંતોને સ્થાન આપવામાં આવશે. ભાજપે આ વખતે તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક જીત મેળવી છે...ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે 182માંથી 156 બેઠક પર ભવ્ય જીત મેળવી છે. કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આમંત્રિતોને પહોંચવા વિશેષ વ્યવસ્થા
ફરી એકવાર ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ પદનાં શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેશે. ત્યારે શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં આવેલા સચિવાલય ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. શપથવિધિ સમારોહમાં સૌ કોઈ આમંત્રિત મહેમાનો સરળતાથી પહોંચી શકે એ માટે કરાયું વિશેષ આયોજન કરાયું છે. અલગ અલગ જિલ્લાઓથી આવનાર આમંત્રિત મહેમાનો માટે મુખ્ય માર્ગ રૂટ નંબર આપીને જુદા પાડવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, શહેર, કચ્છ, મોરબી, જામનગર શહેર, દ્વારકાને રૂટ નંબર 1માં સમાવી સમારોહ સ્થળ સુધીનો અલગ માર્ગ આપવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર માટે પણ અલગથી રૂટ તૈયાર કરાયો છે. તમામ આમંત્રિત મહેમાનો સરળતાથી સમારોહ સ્થળ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. પાર્કિંગ માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરી માર્ગો પર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. 

રિપીટ કે નો રિપીટ
મંત્રીમંડળમા કયા કયા નેતા હશે તેના પર હવે ધીરે ધીરે ખુલાસો થઈ રહ્યો છે. જોકે, અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે, તેમાં કેટલાક જૂના મંત્રીઓના નામ દેખાઈ રહ્યાં છે. વિજય રૂપાણીને હટાવીને ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા ત્યારે અડધોઅડધ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ત્યારે આ વખતે પણ એવુ જ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે, તેમાં જીતુ વાઘાણીનું નામ ગાયબ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news