Gujarat Corona Update: નવા 21 કેસ, 29 સાજા થયા એક પણ દર્દીનું મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં માત્ર 21 કોરોના કેસ જ નોંધાયા હતા. આ ઉપરાંત 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા એ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 
Gujarat Corona Update: નવા 21 કેસ, 29 સાજા થયા એક પણ દર્દીનું મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કેસ પણ કાબુમાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં માત્ર 21 કોરોના કેસ જ નોંધાયા હતા. આ ઉપરાંત 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા એ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 133 લોકોને પ્રથમ અને 6961 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 66532 લોકોને પ્રથમ અને 52139ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 190462 ને પ્રથમ અને 27515 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,43,742 લોકોનું આજે રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 3,29,58,203 કુલ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 260 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 255 દર્દીઓ સ્ટેબલ છે. 8,14,514 લોકોને ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 લોકોના કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news