ગુજરાતમાં ફરી ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું! હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

બોટાદમાં હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો કર્યો છે. બોટાદમાં યોજાયેલા બૌદ્ધ ધર્મ દિક્ષા સમારોહમાં આ 30 લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડી દીધો છે અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે.

ગુજરાતમાં ફરી ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું! હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. વિતગો મુજબ બોટાદમાં હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં દિક્ષા સમારોહમાં આ 30 લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી છે. 

બોટાદમાં હિન્દુ ધર્મના 10 પરિવારના 30 લોકોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો કર્યો છે. બોટાદમાં યોજાયેલા બૌદ્ધ ધર્મ દિક્ષા સમારોહમાં આ 30 લોકોએ પોતાનો હિન્દુ ધર્મ છોડી દીધો છે અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે. ધર્મ પરિવર્તન કરવામાં 10 બાળકો સહિત કુલ 30 લોકો છે. જેમાં SC સમાજના 29 લોકો અને માલધારી સમાજના એક વ્યક્તિએ પોતાનો ધર્મ બદલી નાંખ્યો છે. 

બોટાદના 10 પરિવારના 30 સભ્યોએ હિન્દુ ધર્મ છોડી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. બૌધ્ધ ધર્મ અંગીકાર કરનારમાં 14 પુરુષ અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. આ 30 લોકો ધર્મ પરિવર્તન કરનારમાં 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ 10 પરિવારના 30 લોકોએ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા બૌદ્ધ ધમ્મ દિક્ષા સમારોહનુ આયોજન કર્યું હતું. મુળ ઇતિહાસને દોહરાવવા અને ઇતિહાસ આગળ ધપાવવા બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હોવાની માહિતી મલી છે. વર્ષ 2017થી બૌદ્ધીક શિબિરમાં ભાગ લીધો હતો, ત્યાંથી તેમને પ્રેરણા મળી હતી. ધર્મ પરિવર્તન કરનારા 30 નાગરિકોમાં 29 અનુસુચિત જ્ઞાતી અને એક માલધારી સમાજના નાગરિકનો સમાવેશ થાય છે.

બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર પરેશ રાઠોડનું આ વિશે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સમાનતા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. અખંડ હિન્દુ રાષ્ટ્રની વાત સાથે હું સહમત પણ તેમાં દરેક વર્ગ માટે સમાનતા હોવી જોઇએ. આ સિવાય એક માલધારી સમાજના નાગરિક વિઠ્ઠલભાઇ બોળીયા (ભરવાડ) એ પણ બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ભરવાડ સમાજના નાગરિક વિઠ્ઠલ ભાઇ બોળીયાએ આ વિશે જણાવ્યું હતું કે ચંદ્રગુપ્ત મોર માલધારી સમાજમાંથી હતા. તેમના પૌત્ર સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી માટે બૌધ્ધ ધર્મ અંગીકાર કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news