અંબાલાલની આગાહીએ લોકોને ડરાવ્યા, આ તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો

Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં હવે બરાબરનો જામ્યો શિયાળો... 14 શહેરોમાં તાપમાનનો પારો 17 ડિગ્રીથી પણ નીચે ગગડ્યો...નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું... બે દિવસ બાદ હજુ પણ ઠંઠીનો પારો ગગડવાની હવામાન વિભાગની આગાહી... 
 

અંબાલાલની આગાહીએ લોકોને ડરાવ્યા, આ તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો

Gujarat Weather Forecast : ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે. પરંતું આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે, આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે. ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી છે. જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. ભર શિયાળે ગુજરતમા વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હિમવર્ષા અને માવઠાના કારણે ગુજરાતભરમાં ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ આવશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ માવઠું, જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે, કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. 

આવતીકાલથી ઠંડીનો પારો ગગડશે 
હવામાનના લેટેસ્ટ અપડેડની વાત કરીએ તો, રાજ્યનાં 14 શહેરમાં તાપમાન ગગડયું છે. નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 16.7, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14.6, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે.

ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે 
અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આવતીકાલ 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23 મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. 23 મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે. 

હાલ ફરી એકવાર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. આકાશ મા વાદળો ઘેરાતા ફરી એક વખત જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાયડો, એરંડા સહીતના પાકોમાં રોગચાળો આવે તેવી ભીતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news