Hardik Patel Join BJP: હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવાનું કન્ફર્મ, પોસ્ટર જાહેર કરી કેસરીયો ખેસ ધારણ કરવાનો જણાવ્યો સમય

Hardik Patel Join BJP: ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં કોંગ્રેસથી નાખુશ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીથી પોતાનો નાતો તોડી નાખ્યો હતો અને ત્યારબાદથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી અટકળોએ જોર પકડ્યું હતું

Hardik Patel Join BJP: હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવાનું કન્ફર્મ, પોસ્ટર જાહેર કરી કેસરીયો ખેસ ધારણ કરવાનો જણાવ્યો સમય

ઝી બ્યુરો, ગાંધીનગર: છેલ્લા કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાની સત્તાવાર તારીખ અને સમય જાહેર થઈ ગયો છે. 2 જૂને હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. ત્યારે આ સમાચાર પર મોહર લાગી ગઈ છે. હાર્દિક પટેલે 2 જૂન 2022 ગુરુવારના રોજ સવારે 10.30 કલાકે કમલમ, ગાંધીનગર ખાતે C R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. ગાંધીનગરના કમલમ ખાતેથી તેમના સમર્થકો સાથે હાર્દિક ભાજપમાં જોડાશે.

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં કોંગ્રેસથી નાખુશ હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીથી પોતાનો નાતો તોડી નાખ્યો હતો અને ત્યારબાદથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે કેસરિયો ધારણ કરશે.

No description available.

હાર્દિક પટેલના ભાજપ પ્રવેશને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હાર્દિકને કોંગ્રેસે નાની ઉંમરે મોટી જવાબદારી આપી હતી. કોંગ્રેસનો આભાર માનવાને બદલે ભાજપની સ્ક્રિપ્ટ હાર્દિક વાંચી રહ્યા છે. હાર્દિકના ભાજપ પ્રવેશથી તેમના કાર્યકરોની દયા આવી રહી છે. જેમની સામે આંદોલન કર્યું તેમના માટે હવે ખુરશી સાફ કરવી પડશે. ભાજપ કાર્યકરોએ હવે હાર્દિકને કમને સાહેબ કહેવું પડશે. કોંગ્રેસમાં કામ ના મળ્યાની ફરિયાદ કરનારને ભાજપમાં કામની ફરિયાદ ના રહે એવી આશા. અવસરવાદી નેતાઓને જનતા હંમેશા ઓળખી જતી હોય છે.

ત્યારે હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોરબંદરના દેગામમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 'હાર્દિકે કોંગ્રેસના રાજકારણનો જાહેરમાં પર્દાફાશ કર્યો છે'. હાર્દિકે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો તેનો મને આનંદ છે. 'અમે પણ વર્ષો સુધી કોંગ્રેસની માનસિકતાનો અનુભવ કર્યો છે'. હાર્દિકને પણ કોંગ્રેસની માનસિકતા સમજાઈ ગઈ છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2022

તો બીજી તરફ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જેને સમાજ સેવાનો ઉત્સાહ હોય તેનું ભાજપમાં સ્વાગત છે. કોઈ પણ વ્યકિતને પાપી ગણવો યોગ્ય નથી. કોઈથી ભૂલ થઈ હોય તો સમય આવે સુધરતી હોય છે. રાજદ્રોહના કેસ અંગે કોઈ ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી.

હાર્દિક પટેલને ભાજપમાં શું જવાબદારી સોંપાશે? 
બીજી બાજુ એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે અને હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે.

જાણો કેવું હશે હાર્દિકનું રાજકિય ભવિષ્ય
પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 02 જૂને બપોરે 12 વાગે સીઆર પાટિલનો ભાજપનો ખેસ ધારણ કરશે. 

હાર્દિક પટેલે ભાજપના કામોને પ્રશંસા કરી
હાર્દિક કોંગ્રેસ છોડી રામ મંદિર, સીએએ, એનઆરસીનાં વખાણ કર્યા હતા. હાર્દિકનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

હાર્દિકે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં ભાજપના કામોનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે 18મી મેએ સોનિયા ગાંધીને ખુલ્લો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાર્દિક ખૂલીને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા એ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. એવામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવાદેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાના વિરોધમાં જ કામ કરતી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news