ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી મુદ્દે થઇ સુનાવણી, ગુજરાત હાઇકોર્ટ આપ્યા આ સૂચનો

Chinese thread: ઉત્તરાયણમાં મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને સલામત રહો. તેમણે આનું કારણ આપતાં કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રસ્તાઓ પર પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે. રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી મુદ્દે થઇ સુનાવણી, ગુજરાત હાઇકોર્ટ આપ્યા આ સૂચનો

Gujarat High Court: ગુજરાતમાં ઉતરાયણનું ખુબજ મહત્ત્વ છે અને પતંગ રસિયાઓ ઉતરાયણના દિવસે મન ભરીને પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે પરંતુ અન્ય લોકોની પતંગ કાપવા માટે પતંગ બાજો અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે અને પોતાની પતંગ ન કપાય તે માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા હોય છે. જોકે આ ચાઈનીઝ દોરી અનેક નિર્દોષ લોકો અને પશુપંખીઓના જીવ લેતી હોવાથી સરકારે ચાઈનીઝ દોરીને પ્રતિબંધિત કરી છે અને તેનું વેચાણ કરતા લોકો ઉપર પોલીસ તવાઈ કરી કડક કાર્યવાહી કરી રહી છે. જોકે કેટલાક લોકો ચોરી છૂપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે તો કેટલાક પતંગ રસિકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. 

ત્યારે આજે ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. રાજ્ય સરકારે આજે ફરી બીજીવાર એફિડેવિટ ફાઇલ કર્યું છે. ફાઇલ કરેલા એફિડેવિટને લઇને હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ચાઇનીઝ દોરીને લઇને જાગૃતતા ફેલાવવા માટે સરકારને કેટલાક સૂચનો કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સ્કૂલ-કોલેજોમાં જાગૃતતા લાવો, નાયલોન દોરી, ચાઇનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો. 

જાગૃતતા માટે જરૂર પડે તો ઓટો રીક્ષામાં જાહેરાતનો ઉપયોગ કરો. જેમ ચૂંટણી ટાળે લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે તેમ તેના માટે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરો. એલઇડી સ્ક્રીન દ્વારા પણ લોકજાગૃતિનો પ્રયાસ કરવો જોઇએ. આ ઉપરાંત મીડિયાએ પણ લોક જાગૃતિનો પ્રયાસ કરવો જોઇએ. દરેક ચેનલના સીઇઓ સાથે વાત કરીને તેમના પ્રાઇમ ટાઇમમાં લોકજાગૃતિ આવે પ્રયત્ન કરવા જોઇએ.  

અત્રે ઉલ્લેખનીય છે કે ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું છે કે ઉત્તરાયણના પર્વના દિવસે લોકોએ સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારસુધી ઉત્તરાયણમાં લોકો દોરીને કારણે ઇજાગ્રસ્ત થતા હતા. હવે આ ઉત્તરાયણમાં લોકોનાં મોત થતાં સરકાર પણ ફફડી છે. આ પહેલાં ચાઈનીઝ તુક્કલો પર સરકારે પ્રતિબંધ મૂકતાં હવે રાતે તુક્કલો દેખાઈ રહી નથી પણ ચાઈનીઝ દોરી સામે પણ સરકારે અભિયાન ચલાવવાની જરૂર છે. 

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સલામત રહીએ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં મહત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો અને સલામત રહો. તેમણે આનું કારણ આપતાં કહ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે રસ્તાઓ પર પતંગ અને દોરા ક્યારેક આપણી મુસાફરીમાં અકસ્માત તરીકે નડતરરૂપ બને છે. રાજ્યમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉત્તરાયણની ઉજવણી સાથે મેટ્રો ટ્રેન, સુવિધાસભર એસ.ટી. બસ, રેલવે, ટેક્સી અને ઓટો રીક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સલામત રહીએ.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને મોતની દોરી બની રહી છે.  ગુજરાતમાં આશાસ્પદ યુવાનનાં મોતની છેલ્લા 3 દિવસમાં આ ત્રીજી ઘટના છે. આ મામલો કોર્ટ સુધી પહોંચતાં હાઈકોર્ટે પોલીસની આકરી ટીકા કરી છે. જેને પગલે હવે પોલીસ ગુજરાતમાં વેપારીઓ સામે તવાઈ બોલાવી રહી છે. પોલીસે જાહેરમાં સ્પષ્ટ કહ્યું છે કે ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં વેપારીઓની ધરપકડ કરાશે. આમ પોલીસ એક્ટિવ થઈ છે પણ ગૃહમંત્રી પણ એક્ટિવ થતાં પોલીસ પર પ્રેશર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news