Gujarat Rain: વરસાદની આગાહીના પગલે રાજકોટ બેડી યાર્ડનો મહત્વનો નિર્ણય, પાટણમાં ખેડૂતોને અપાઈ ખાસ સલાહ

રાજકોટ બેડી યાર્ડમાં આજે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે અને આજ 150 ખેડૂતો જ યાર્ડમાં પોતાની મગફળી લાવી શકશે. બીજી બાજુ માત્ર બે કલાકમાં 2000 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

Gujarat Rain: વરસાદની આગાહીના પગલે રાજકોટ બેડી યાર્ડનો મહત્વનો નિર્ણય, પાટણમાં ખેડૂતોને અપાઈ ખાસ સલાહ

ગૌરવ દવે/રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહીના પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. કમોસમી વરસાદની આગાહીને લઈને રાજકોટ બેડી યાર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જ પોતાની મગફળી યાર્ડમાં લાવી શકશે.

રાજકોટ બેડી યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે. જે ખેડૂતને ટોકન આપવામાં આવે તે જ ખેડુત મગફળી લાવી શકશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી ન પલળે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 

તમને જણાવી દઈએ કે રાજકોટ બેડી યાર્ડમાં આજે 150 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે અને આજ 150 ખેડૂતો જ યાર્ડમાં પોતાની મગફળી લાવી શકશે. બીજી બાજુ માત્ર બે કલાકમાં 2000 હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સલાહ
ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોને એક મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં 1.90.270 હેકટરમાં રવિ પાકોનું વાવેતર કરાયું છે.  

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે આવતીકાલ (5 જાન્યુવારી)એ વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. વાતાવરણને પગલે ખેતરમાં ઉભા પાક દિવેલા - કપાસ - રાઇ - વરિયાળી - જીરું - ચણા સહિતના પાકોની કાળજી રાખવી હિતાવહ છે. સાથે ખેડૂતો દ્વારા શાકભાજી કે કાપણી કરેલો પાક ભીંજાય નહિ તે માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મુકવા જણાવ્યું છે. માર્કેટ યાર્ડમાં રહેલા પાકોને યોગ્ય જગ્યાએ મુકવા અથવા તાડપત્રીથી ઢાંકી રાખવા ખેડૂતોને જણાવ્યું છે.

જો કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલ પાણીનો સત્વરે નિકાલ કરવો. હાલ ખેતરમાં પિયત અને ખાતર નાખવાનું ટાળવું જોઈએ. આગાહીને ધ્યાને રાખી આગમચેતીના પગલાં લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news