અમદાવાદ રથયાત્રા : ભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે

અમદાવાદ રથયાત્રા : ભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે
  • ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે
  • ભગવાનના વાઘા બનાવવાનું કામ અખાત્રીજના દિવસે મુહૂર્ત કરી શરૂ કરવામાં આવે છે

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં રથયાત્રા (rathyatra) નીકળશે કે નહિ તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બીજી તરફ, જગન્નાથ મંદિર (jagannath temple) માં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા માટે કપડું ગોકુળ, મથુરાથી મંગાવવામાં આવ્યું છે. આ વાઘા પર જરદોશી, પેચ અને કુંદન વર્ક કરવામાં આવશે.  

ભગવાનની પાઘડી વિશેષ હશે 
ભગવાનની પાઘડીમાં પણ વિવિધતા જોવા મળશે. મુગટ. પાઘ, રજવાડી પાઘ, મોરપીંછ પાઘ સાથે પ્રથમ વખત ભગવાન જોવા મળી શકે છે. ગુજરાતી બાંધેજ પાઘડી માટે બાંધણી ખરીદી લેવામાં આવી છે. આમ, ભગવાનના વાઘા વિવિધ રંગના જોવા મળશે. જેમાં ભગવાન (lord jagannath) ને પ્રિય તેવા લાલ, લીલા, વાદળી, પીળાં, આસમાની જેવા રંગો હશે. 

ભગવાન રજવાડી વેષ ધારણ કરશે 
આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેષ ધારણ કરશે. ભગવાન માટે 6 જોડી વાઘા બનાવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ વર્ક જોવા મળી શકે છે. ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે. તો ભગવાન અમાસના દિવસે લીલા રંગના વાઘા ધારણ કરશે. ભગવાનના વાઘા બનાવવાનું કામ અખાત્રીજના દિવસે મુહૂર્ત કરી શરૂ કરવામાં આવે છે. આ વર્ષે સુનિલભાઈની સાથે અન્ય 7 લોકો મળી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે. 

મામાના ઘરે બની રહ્યા છે ખાસ વાઘા 
ભગવાનને મામાના ઘર સરસપુરથી રથયાત્રાના દિવસે જે ભેટ સોગાદોની સાથે જે વાઘા અર્પણ કરવામાં આવશે તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ છે. મામાના ઘરના વાઘા માટે અમદાવાદના સુરત અને વૃંદાવનથી કપડું મંગાવવામાં આવ્યું છે. 

હાલ વાઘા પર કરવાનું કામ વર્ક વૃંદાવનમાં થઇ રહ્યું છે. મામાના ઘરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશે રૂપના વાઘા અર્પણ કરવામાં આવશે. જેમાં લાલા, વાદળી અને કેસરી કલરના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેની પર વિવિધ મલ્ટી રંગનું વર્ક કરવામાં આવશે. જેના પેચ વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે. ભગવાનને એક જોડી વાઘા મામાના ઘરેથી અર્પણ કરવામાં આવે છે, જેમાં નાના મોટા થઈ કુલ 100 જેટલા વાઘા તૈયાર કરવામાં આવે છે. મામેરાના વાઘા તૈયાર કરવા માટે યતિન ભાઈ સાથે 9 લોકોની ટીમ છેલ્લા 25 દિવસથી કામ કરી રહી છે. હજી મામેરાના વાઘા તૈયાર થતા 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news