જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.

જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

મુસ્તાક દલ, જામનગર: જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા. જ્યારે ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે હત્યારા બંને આરોપી કાકાઓને ઝડપી પાડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં પરમ દિવસે મહાવીરસિંહ રાઠોડ નામના ગરાસિયા યુવાનની તેના સગા બે કાકા અને ફ્રૂટની રેકડીનો વ્યવસાય કરતા વિક્રમસિંહ રાઠોડ અને દોલુભા રાઠોડ દ્વારા ભરબપોરે લાકડાના ધોકા અને મુંઢ માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ બંને આરોપીઓ ઘરનો દરવાજો બંધ કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના પરિવારજનોની પોલીસ ફરિયાદ તેમજ પ્રાથમિક તપાસ કરતા યુવાનની હત્યા પાછળ બંને સગા કાકા પર શંકાની સોય દર્શાવવામાં આવી હતી.

જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ LCB સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક યુવાન કોઈ કામ ધંધો ન કરતો અને તે બાબતે માથાકુટ થતાં બંને સગા કાકા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું આરોપીઓ દ્વારા કબૂલાત કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news