રાજપીપળા: પત્નીની નજર સામે પતિએ પોઇચા બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

પત્ની સાથે થયેલા ઝગડામાં ગુસ્સે ભરાયેલા પતિએ પોઇચા બ્રિજ પરથી પત્નીની નજર સામે જ નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે પુત્રને ધક્કો મારીને હત્યા કરી હોવાનો પુત્રવધુ પર આક્ષેપ કરીને પરિવારજનોએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. 
રાજપીપળા: પત્નીની નજર સામે પતિએ પોઇચા બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

રાજપીપળા : પત્ની સાથે થયેલા ઝગડામાં ગુસ્સે ભરાયેલા પતિએ પોઇચા બ્રિજ પરથી પત્નીની નજર સામે જ નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે પુત્રને ધક્કો મારીને હત્યા કરી હોવાનો પુત્રવધુ પર આક્ષેપ કરીને પરિવારજનોએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. 

રાજપીપળાની ખત્રીાડમાં રહેતા 26 વર્ષીય વિજય ઉર્ફે રવિ કાનજીભાઇ સવાણીએ બ્યુટી પાર્લર ચલાવતી 30 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા હતા. કોઇક કારણોસર બન્ને વચ્ચે અણબનાવ થતા પત્ની પોતાના પિયર જતી રહી હતી.  રક્ષાબંધનમાં પોતાના ભાઇને રાખડી  બાંધવા વડોદરા ગઇ હતી. દરમિયાન રવિ પણ એક્ટિવા લઇ ત્યાં પહોંચ્યો હતો.

મોડી સાંજે વિજયે પત્નીને પોતાની સાથે એક્ટિવા પર પર રાજપીપળા આવવાનો આગ્રહ કર્યો પણ પત્નીએ વાત માની નહી અને પોતાના ભાઇ સાથે રાજપીપળા આવવા નિકળ્યો હતો. આ વાત વિજયને લાગી આવતા પોઇચા બ્રિજ પર આવ્યો હતો. જ્યાં વિજય પોઇચા બ્રિજ પરથી પડી ગયો છે. અમારા અન્ય સંબંધીઓ ત્યાં તપાસ કરવા ગયા ત્યારે ત્યારે તેની પત્ની અને સંબંધીઓ તરફથી યોગ્ય જવાબ મળ્યો હતો. અમને શંકા છે કે, અમારા પુત્રને ધક્કો મારી ફેંકી દેવાયો છે. આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news